________________
ઇતિહાસની અગત્યતા • ૫ અત્યારે જ્યાં જોઈએ છીએ ત્યાં સાધુશક્તિ તદ્દન વેરવિખેર થયેલી દેખાય છે; સમય સાથે કામ કરતી ન હોવાથી વધારે અવગણનાપાત્ર પણ બનતી જાય છે. કોઈપણ સમાજ અને સંઘ માટે જે સંભૂયકારિતા-પરસ્પર મળીને સંવાદિતાથી કામ કરવાની આવડત–આવશ્યક છે તે નિર્માણ કર્યા સિવાય કદી ચાલે તેમ નથી. જ્યારે ઇતિહાસનું કામ વિચારીએ અને શરૂ કરવું હોય ત્યારે એમાં સાધુશક્તિને સાંકળી શકાય. તેઓ જુદા જુદા ગણ-ગચ્છના હોય તોપણ એકબીજાના પ્રત્યક્ષ સંપર્કમાં આવે અને વિચારવિનિમય પણ કરે. આજે બધાં જ તંત્રો સહકારથી ચાલે છે, જ્યારે સહકાર વિના એક નિષ્પભ જેવું અને કેટલેક અંશે અજાગલસ્તન જેવું કોઈ તંત્ર હોય તો તે જૈન સમાજનું ગુરુતંત્ર લાગે છે. આ સ્થિતિ જીવતા સમાજ માટે નભાવવા જેવી નથી. એટલે આવું એક સર્વસાધારણ અને સર્વગમ્ય કામ કરવામાં વિચારવાન સાધુઓ આગળ આવે, પોતપોતાનો ફાળો આપે. એ નિમિત્તે એકત્ર થાય તો એથી “૩ાગો કરિયું પદ સાર્થક બને.
હમણાં જ જૈન સાહિત્યના ઇતિહાસનો પ્રશ્ર કાશીમાં હાથમાં લેવામાં આવ્યો છે. એમાં જૈનેતર એવા પણ અસાધારણ યોગ્યતા ધરાવનાર ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ અને એવા બીજા વિદ્વાનોનો કેવળ સાંસ્કૃતિક દૃષ્ટિએ પૂરતો સાથ જ નહિ પણ આગેવાની ભરેલ ભાગ પણ છે. આ એક મારી દૃષ્ટિએ જૈન સમાજ માટે, ખાસ કરી સાગણ માટે, મંગળપ્રભાત ઊઘડે છે. જો તેઓ આ વસ્તુ બરાબર સમજી લે તો તેમણે મેળવેલ જ્ઞાનસંપત્તિનો સારામાં સારો ઉપયોગ થશે અને જે તેઓ નથી જાણતા, અને જાણવા જેવું છે જ, તે જાણતા થશે, અને પોતાનું સ્થાન છે તેથી વધારે ઉન્નત બનાવશે. જ્યાં સાધુઓ પોતપોતાના સ્થાનમાં રહી કોઈપણ કામ કરવા ઇચ્છતા હશે ત્યાં પણ એમને એમની શક્તિ અને સાધનજોગું કામ સોંપી શકાય, એવી પણ ગોઠવણી થઈ શકે. પણ આ કામ કરતાં એક એવી ક્ષણ આવવાની કે જ્યારે સાધમાનસની અત્યારની શકલ બદલાઈ વધારે ઉન્નત થવાની. તેથી હું સાધુગણનાં વિકાસ અને ઉપયોગિતાની દૃષ્ટિએ ઈતિહાસની, તેમાંય શરૂઆતમાં જૈન સાહિત્યના ઇતિહાસની અગત્યતા વિશે વિચારકોનું ધ્યાન આકર્ષવા ઇચ્છું છું.
આવતા ઓક્ટોબરના અંતમાં અમદાવાદ મુકામે ઓલ ઈન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સ ભરાવાની છે. તેમાં તેના મુખ્ય પ્રમુખ વિશ્વવિદ્યુત ડૉ. સુનીતિકુમાર ચેટર્જી છે. એ કોન્ફરન્સના અનેક વિભાગો છે. તેમાં એક વિભાગ જૈન પરંપરાને લગતો પણ છે. આ વખતે તેના અધ્યક્ષ બાબૂ કામતાપ્રસાદ જૈન છે. એની બધી શાખાઓમાં તે તે વિષયના વિશિષ્ટ વિદ્વાનો આ દેશના જુદા જુદા ભાગોમાંથી તો આવવાના જ; પણ કેટલાય નામાંકિત વિદેશી વિદ્વાનો પણ આવવાના. આ એક એવો મેળો હોય છે, જેમાં અનેક નિબંધો અનેક ભાષાઓમાં વંચાય છે, એવા વિષયો પર વ્યાખ્યાનો થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org