Book Title: Jain Dharma
Author(s): Bhadrabahuvijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 47
________________ જૈનધર્મ નહિ તેવા સમયે ઉપવાસ કરવો. ૧૭. ઉચિત ભોજન : તન, મન અને આત્માનું આરોગ્ય જળવાઈ રહે તેવું સાદું અને સાત્વિક ભોજન કરવું. ૧૮. જ્ઞાનીપૂજન : જ્ઞાનીજનોવિદ્વાનો, કલાકારોનું સન્માન કરવું, યથાયોગ્ય તેમને સહકાર આપવો. ૧૯. નિધાર્ય-ત્યાગ : લોકો નિંદા કરે, સમાજમાં આબરૂ જાય તેવાં અયોગ્ય કાર્યો ન કરવાં. ર૦. ભરણ-પોષણ : પોતાના આશ્રયે રહેલાં સ્વજનોની યથાયોગ્ય સારસંભાળ લેવી. ૨૧. દીર્ધદષ્ટિ : ભવિષ્યનાં પરિણામોનો વિચાર કરીને કોઈપણ કાર્ય કરવું. ૨૨. ધર્મશ્રવણ : જીવનને ઉન્નત અને ઉમદા બનાવે તેવી વાતો સાંભળવી, તેવું વાંચન કરવું. - ર૩. દયા: જીવ માત્ર પર કરુણા ચિતવવી અને તેમનાં દુઃખોને દૂર કે હળવા કરવા પ્રયત્નશીલ બનવું. ૨૪. બુદ્ધિઃ દરેક બાબતનો સમગ્રતયા વિચાર કરીને નિર્ણય અને અમલ કરવો. ૨૫. ગુણપક્ષપાત: ગુણાનુરાગી બનવું. ર૬. દુરાગ્રહ ત્યાગ: હઠ, જીદ, કદાગ્રહ કરવા નહિ. ર૭. જ્ઞાનાર્જન: દરરોજ કંઈક ને કંઈક નવું જ્ઞાન મેળવવા પ્રયત્નો કરવા. ૨૮ સેવાભક્તિઃ ઉપકારીઓની તેમજ દીન-દુઃખી જનોની સેવા કરવી. ૨૯. ત્રિવર્ગ-બાધા : ધર્મ, અર્થ અને કામ-આ ત્રણ પુરુષાર્થોનું સમુચિત ને સંતુલિત સેવન કરવું. ૩૦. દેશકાળનું જ્ઞાન સમય અને સંજોગોને સુપેરે ઓળખવા, ભવિષ્યનો વિચાર કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164