Book Title: Jain Dharma
Author(s): Bhadrabahuvijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 116
________________ જૈનધર્મ અંતરાય કર્મના બંધનમાંથી મુક્ત થવા માટે જીવાત્માએ ઉમળકાથી દાન આપવું જોઇએ, સાર્ધામક ભકિત કરવી જોઇએ, બીજા માટે ઘસાઈ છુટવું જોઈએ, તપશ્ચર્યા કરવી જોઇએ, ધર્મની આરાધના કરવી જોઈએ. આમ કરવાથી આ કર્મનો ક્ષય થાય છે. ૫. જીવાત્મા શાતા વેદનીય કર્મ ૧૦ પ્રકારે અને અશાતા વેદનીય કર્મ ૧૨ પ્રકારે બાંધે છેઃ તમામ પ્રકારના જીવો પર દયા લાવવાથી કરવાથી, તેમજ કોઇપણ પ્રકારનું દુ:ખ ન આપવાથી જીવાત્મા શાતા વેદનીય કર્મ બાંધે છે અને કોઈપણ જીવ ઉપર ત્રાસ ગુજારવાથી, તેને રડાવવાથી, તેની આંતરડી કકળાવવાથી જીવાત્મા અશાતા વેદનીય કર્મ બાંધે છે. ૧૦૫ બંને પ્રકારના વેદનીય કર્મના બંધનમાંથી મુકત થવા માટે જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવ રાખવો જોઇએ. કોઇ પણ પ્રત્યે વૈરભાવ ન રાખવો જોઈએ. જીવમાત્રનું સુખ અને કલ્યાણ થાય તેવાં હૈયે ભાવ રાખવા જોઇએ. અને તે માટે નિષ્ઠાપૂર્વક નિઃસ્વાર્થ પ્રયત્નો કરવા જોઇએ. આમ કરવાથી આ કર્મનો ક્ષય થાય છે. ૬. જીવાત્મા આયુષ્ય કર્મ ૧૬ પ્રકારે બાંધે છેઃ જીવાત્મા છએ કાયના જીવોની સદા હિંસા થાય તેવા કામ કરે, બિનજરુરી મોટા પાયા પર સંઘરાખોરી કરે, માંસાહાર કરે, પંચેન્દ્રિય જીવોની હિંસા કરે તો નરકનું આયુષ્ય બાંધે છે. જીવાત્મા કપટ સહિત જૂઠું બોલે, વિશ્વાસઘાત કરે, હડહડતું જૂઠ બોલે, ખોટાં તોલ-માપ રાખે તો તિર્યંચ [પશુ-પંખી નું આયુષ્ય બાંધે છે. જે જીવાત્મા સ્વાભાવે નિષ્કપટી હોય, વિનયી-વિનમ્ર હોય, દયાળુ હોય, ઇર્ષા રહિત હોય તે મનુષ્યનું આયુષ્ય બાંધે છે. અને જે જીવાત્મા સંયમ પાળે-સાધુ થાય, શ્રાવકનાં વ્રતોનું પાલન કરે, જ્ઞાનરહિત તપ કરે, પરવશપણે દુઃખ સહન કરે પણ સમભાવ રાખે તો દેવતાનું આયુષ્ય બાંધે છે. આયુષ્ય કર્મના બંધનમાંથી મુકત થવા માટે જીવાત્માએ તપ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164