Book Title: Jain Dharma
Author(s): Bhadrabahuvijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 136
________________ જૈનધર્મ રંગ અનુસાર ધ્યાન ધરવાથી ચિત્ત શાંત, પ્રસન્ન, સ્થિર તેમજ નિર્મળ અને નિર્મમ બને છે. ૧૨૫ ૧. અરિહંત : રાગ-દ્વેષ અને મોહ અદિ અંતરંગ શત્રુઓ પર જેમણે પરિપૂર્ણ વિજય મેળવ્યો છે અને જે પૂજયોના પણ પૂજય છે, તેને ‘અરિહંત’ કહે છે. અરિહંત પરમાત્માના ૧૨ ગુણ છે. તેમનું ધ્યાન ધરવા માટેનો રંગ સ્ફટિક જેવો સફેદ છે. ૨. સિદ્ધ : તમામે તમામ કર્મોનો ક્ષય કરીને જેમનો આત્મા શુદ્ધ, બુદ્ધ, મુકત, નિરંજન અને નિરાકાર બની પરમાત્મ સ્વરૂપને પામ્યો છે, તે ‘સિદ્ધ’ કહેવાય છે, સિદ્ધ પરમાત્માના ૮ ગુણ છે. તેમનું ધ્યાન ધરવા માટેનો રંગ ઉગતા સૂરજના રંગ જેવો લાલ છે. ૩. આચાર્ય : પાંચ મહાવ્રત આદિ ૩૬ ગુણોના ધારક સાધુ ‘આચાર્ય' કહેવાય છે. જૈન સાધુઓને અપાતી આ સર્વોચ્ચ પદવી છે. આચાર્ય ભગવંત જૈન સાધુ સમુદાયના નાયક હોય છે. સંઘ-શાસનની જવાબદારીઓનું તે વહન કરે છે. આચાર્યના ૩૬ ગુણ છે. તેમનું ધ્યાન ધરવા માટેનો રંગ શુદ્ધ સુવર્ણ જેવો પીળો છે. ૪. ઉપાધ્યાય :: પાંચ મહાવ્રતાદિનું પાલન કરનાર, સાધુ-સાધ્વીગણને અધ્યયન કરાવનાર તેમજ સાધુ-સમુદાયની આંતરિક વ્યવસ્થાને સંભાળનાર ઉપાધ્યાય’ કહેવાય છે. આ પણ એક પદવી છે. ઉપાધ્યાયના ૨૫ ગુણ છે અને તેમનું ધ્યાન ધરવા માટેનો રંગ લીલો છે. ૫. સાધુ : જેમનામાં ક્ષમાદિ દસ ગુણો છે અને પંચમહાવ્રતોનું પાલન કરે છે, તેને ‘સાધુ’ કહે છે. સાધુના ૨૭ ગુણો છે તેમનું ધ્યાન ધરવા માટેનો રંગ કાળો છે. ૬. દર્શન શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપિત અને પ્રસ્થાપિત કરેલા તત્ત્વોમાં રસ, રૂચિ અને શ્રદ્ધા રાખવી તેને ‘દર્શન” કહે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164