Book Title: Jain Dharma
Author(s): Bhadrabahuvijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 126
________________ જૈનધર્મ ૧૧૫ જેનાથી વસ્તુ યથાર્થ જણાય તેને પ્રમાણ કહે છે. પ્રમાણના આધારે વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. જીવાત્મા એ વસ્તુને સ્વીકારવા યોગ્ય હોય તો સ્વીકારે છે, નહિ તો તેનો અસ્વીકાર કરે છે. પ્રમાણ મુખ્યત્વે ચાર છે ઃ ૧. પ્રત્યક્ષ પ્રમાણ, ૨. અનુમાન પ્રમાણ, ૩. આગમ પ્રમાણ અને ૪. ઉપમા પ્રમાણ. આ દરેક પ્રમાણના પણ અનેક પ્રકાર છે. ૧. પ્રત્યક્ષ પ્રમાણ : વસ્તુનું પ્રત્યક્ષપણે નજર સમક્ષ જ્ઞાન થાય તે પ્રત્યક્ષ પ્રમાણ. ૨. અનુમાન પ્રમાણ : અનુમાનથી વસ્તુનું જ્ઞાન થાય તે અનુમાન પ્રમાણ. દા.ત. ભસવાના અવાજથી કયાંક કૂતરો છે તે નકકી કરવું, દાણો દબાવીને રસોઇનો નિર્ણય કરવો વગેરે. ૩. આગમ પ્રમાણ : આપ્ત પુરુષો દ્વારા કથિત અને રચિત શાસ્ત્રોથી વસ્તુનું જ્ઞાન થાય તે આગમ પ્રમાણ. જે પ્રત્યક્ષ અને અનુમાન આદિ પ્રમાણોથી વિરુદ્ધ ન હોય, આત્મસાધનામાં માર્ગદર્શક અને સહાયક શુદ્ધ તત્ત્વપ્રરૂપક વચન તેને આગમ' કહેવાય છે. આગમમાં આત્માનુભવી વીતરાગ ભગવંતનું જીવનભરનું દર્શન અને જ્ઞાન છે. પ્રત્યક્ષ અને અનુમાનથી જે ન સમજાય તે આગમની સહાયથી સમજવું. ૪. ઉપમા પ્રમાણ : ઉપમાથી વસ્તુનું જ્ઞાન થાય તે ઉપમા પ્રમાણ. દા.ત. આ માણસ સંત જેવો છે... આ ઘર સ્વર્ગ જેવું છે....વગેરે... આ ચાર પ્રમાણથી ‘જીવ’ તત્ત્વ વિચારીએ : ૧. પ્રત્યક્ષ પ્રમાણથી જીવ ચેતના લક્ષણવાળો. ૨. અનુમાન પ્રમાણથી જીવ બાળક, યુવાન, વૃદ્ધ. ૩. ઉપમા પ્રમાણથી અરૂપી, અનાદિ-અનંત. ૪. આગમ પ્રમાણથી શુભાશુભ કર્મોનો કર્તા, ભોકતા. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164