________________
જૈનધર્મ
૧૧૫
જેનાથી વસ્તુ યથાર્થ જણાય તેને પ્રમાણ કહે છે. પ્રમાણના આધારે વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. જીવાત્મા એ વસ્તુને સ્વીકારવા યોગ્ય હોય તો સ્વીકારે છે, નહિ તો તેનો અસ્વીકાર કરે છે.
પ્રમાણ મુખ્યત્વે ચાર છે ઃ ૧. પ્રત્યક્ષ પ્રમાણ, ૨. અનુમાન પ્રમાણ, ૩. આગમ પ્રમાણ અને ૪. ઉપમા પ્રમાણ. આ દરેક પ્રમાણના પણ અનેક પ્રકાર છે.
૧. પ્રત્યક્ષ પ્રમાણ : વસ્તુનું પ્રત્યક્ષપણે નજર સમક્ષ જ્ઞાન થાય તે પ્રત્યક્ષ પ્રમાણ.
૨. અનુમાન પ્રમાણ : અનુમાનથી વસ્તુનું જ્ઞાન થાય તે અનુમાન પ્રમાણ. દા.ત. ભસવાના અવાજથી કયાંક કૂતરો છે તે નકકી કરવું, દાણો દબાવીને રસોઇનો નિર્ણય કરવો વગેરે.
૩. આગમ પ્રમાણ : આપ્ત પુરુષો દ્વારા કથિત અને રચિત શાસ્ત્રોથી વસ્તુનું જ્ઞાન થાય તે આગમ પ્રમાણ. જે પ્રત્યક્ષ અને અનુમાન આદિ પ્રમાણોથી વિરુદ્ધ ન હોય, આત્મસાધનામાં માર્ગદર્શક અને સહાયક શુદ્ધ તત્ત્વપ્રરૂપક વચન તેને આગમ' કહેવાય છે. આગમમાં આત્માનુભવી વીતરાગ ભગવંતનું જીવનભરનું દર્શન અને જ્ઞાન છે. પ્રત્યક્ષ અને અનુમાનથી જે ન સમજાય તે આગમની સહાયથી સમજવું.
૪. ઉપમા પ્રમાણ : ઉપમાથી વસ્તુનું જ્ઞાન થાય તે ઉપમા પ્રમાણ. દા.ત. આ માણસ સંત જેવો છે... આ ઘર સ્વર્ગ જેવું છે....વગેરે... આ ચાર પ્રમાણથી ‘જીવ’ તત્ત્વ વિચારીએ :
૧. પ્રત્યક્ષ પ્રમાણથી જીવ ચેતના લક્ષણવાળો.
૨. અનુમાન પ્રમાણથી જીવ બાળક, યુવાન, વૃદ્ધ. ૩. ઉપમા પ્રમાણથી અરૂપી, અનાદિ-અનંત.
૪. આગમ પ્રમાણથી શુભાશુભ કર્મોનો કર્તા, ભોકતા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org