SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ નય પ્રમાણનો અંશ તે નય. - અનંત ધર્માત્મક વસ્તુઓમાંથી કોઇ એક વિશેષ ધર્મને ગ્રહણ કરીને અન્ય ધર્મો તરફ ઉદાસીન ભાવ રાખીને એ પદાર્થનું જે વર્ણન કરવું તેનું નામ નય છે. સરળતાથી કહીએ તો કોઇપણ વિષયનું નિરપેક્ષ નિરૂપણ કે તેની એકાન્તિક વિચારણા એટલે નય. સામાન્યપણે નયના બે પ્રકાર છે. : જૈનધર્મ ૧. વ્યવહાર નય : જેનાથી વસ્તુનું બાહ્ય સ્વરૂપ જાણવામાં આવે અને જે અપવાદ માર્ગમાં લાગુ પડે તે વ્યવહાર નય. ૨. નિશ્ચય નય : જેનાથી વસ્તુનું ભીતરી સ્વરૂપ જાણવામાં આવે અને જે અપવાદ માર્ગમાં લાગુ ન પડે તે નિશ્ચય નય. વિશેષપણે નયના સાત પ્રકાર છે. ૧. નૈગમ નય : કોઇપણ વસ્તુનું નામ હોય તો તેને પૂર્ણ માને. અંશ માત્ર ગુણ હોય તો પણ તેને પૂર્ણ માને. તેમજ નામ પ્રમાણે ગુણ હોય તો પણ તેને પૂર્ણ માને દા.ત. કપડાંને તણખો લાગ્યો. આ નયવાળો તરત કહેશે : “મારું કપડું બળી ગયું.’ ૨. સંગ્રહ નય : વિશેષ પદાર્થોને સામાન્યપણે ગ્રહણ કરી લેવું તે સંગ્રહ નય છે. થોડામાં ઘણું સમજવું તે સંગ્રહ નય છે. દા. ત. શેઠ કહે: પાન લઇ આવ.' આ નયવાદી માત્ર પાન-પાંદડું નથી લાવતો. સોપારી, ચૂનો, મસાલો વગેરે સાધનો લઇને આવે છે અથવા એ બધાનું બનાવેલું તૈયાર પાન લઇને આવે છે. ૩. વ્યવહાર નય : સામાન્યને વિશેષતયા ગ્રહણ કરવું તે વ્યવહાર નય. સંગ્રહનયથી ગ્રહણ કરેલા પદાર્થોનું પૃથકકરણ કરવું તે વ્યવહાર નય. દા. ત. બાહ્ય આચાર વિચારથી માણસને સજજન માને અને તેના વિવિધ સદ્ગુણો બતાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy