________________
જૈનધર્મ
૪. શુસૂત્ર નય : મુખ્યત્વે વર્તમાન કાળનો જ સ્વીકાર કરે તે સૂત્ર નય. ઋજુ એટલે સરળ. સૂત્ર એટલે ચિંતન. સરળતાથી વિચારવું. દા. ત. આજે ને અત્યારે જ જે કામ થયું તે થયું.
૧૧૭
૫. શબ્દ નય : આ નયમાં શબ્દનું વિશેષત્વ છે. અર્થાત્ કોઇ વસ્તુનું જે નામ હોય તે નામના શબ્દના અર્થનો જ સ્વીકાર કરે. એનેકાર્થી શબ્દોને એકાર્થવાચી માને. દા.ત. ઇન્દ્રનાં શકેન્દ્ર દેવેન્દ્ર વગેરે ઘણાં નામ છે. પણ આ નયવાળો એ બધાં શબ્દોનો એક ઇન્દ્ર’ નામનો જ અર્થ કરે છે.
૬. સમભિરૂઢ નય : શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે તેનાં ભિન્ન ભિન્ન અર્થ વિચારવા તે સમભિરૂઢ નય. દા.ત. રાજા, ભૂપતિ, નૃપ એકાર્થવાચી શબ્દો છે. આ નયવાળો રાજા તેનેજ માને કે જે રાજચિહ્નોથી શોભતો હોય.
૭. એવંભૂત નય : વસ્તુનું જેવું નામ, તેવું જ તેનું કામ અને પરિણામ પણ તેવું જ. એમ ત્રણેય બાબતો સંપૂર્ણ હોય તેને જ માનવી તે એવંભૂત નય. દા.ત. ભકત પ્રભુભક્તિ કરી રહ્યો હોય ત્યારે જ આ નયવાળો તેને ભકત' કહે.
આ સાતેય નયથી સર્વ વસ્તુઓનો સ્વીકાર કરે તે સમકિતી મનાય છે. એક વસ્તુથી પૂર્ણ કાર્ય થતું નથી. દરેક કાર્ય કરવા માટે જેટજેટલા સંયોગોની જરૂર છે. તેટતેટલા સંયોગ મળે ત્યારે જ કાર્ય બને છે. દા. ત. રસોઈ, તે એકલા પાણીથી કે એકલી સગડીથી નથી બનતી. અનાજ, પાણી, આગ વગેરે બધાં ભેગાં થાય ત્યારે ભાવતાં ભોજન તૈયાર થાય છે. આ દ્રષ્ટાંતસહ સાતેય નયોનો વિચાર કરીને નયની અપેક્ષાથી નિષ્પક્ષપાતી હોય તે જ સત્ય માનવું.
સ્યાદ્વાદ [અનેકાન્તવાદ]
એક જ વસ્તુને, વિચારને કે વ્યકિતને અનેકવિધ અભિગમ અને દ્રષ્ટિકોણથી જોવા, વિચારવા અને મૂલવવાની પદ્ધતિનું એક નામ એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org