SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ૪. શુસૂત્ર નય : મુખ્યત્વે વર્તમાન કાળનો જ સ્વીકાર કરે તે સૂત્ર નય. ઋજુ એટલે સરળ. સૂત્ર એટલે ચિંતન. સરળતાથી વિચારવું. દા. ત. આજે ને અત્યારે જ જે કામ થયું તે થયું. ૧૧૭ ૫. શબ્દ નય : આ નયમાં શબ્દનું વિશેષત્વ છે. અર્થાત્ કોઇ વસ્તુનું જે નામ હોય તે નામના શબ્દના અર્થનો જ સ્વીકાર કરે. એનેકાર્થી શબ્દોને એકાર્થવાચી માને. દા.ત. ઇન્દ્રનાં શકેન્દ્ર દેવેન્દ્ર વગેરે ઘણાં નામ છે. પણ આ નયવાળો એ બધાં શબ્દોનો એક ઇન્દ્ર’ નામનો જ અર્થ કરે છે. ૬. સમભિરૂઢ નય : શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે તેનાં ભિન્ન ભિન્ન અર્થ વિચારવા તે સમભિરૂઢ નય. દા.ત. રાજા, ભૂપતિ, નૃપ એકાર્થવાચી શબ્દો છે. આ નયવાળો રાજા તેનેજ માને કે જે રાજચિહ્નોથી શોભતો હોય. ૭. એવંભૂત નય : વસ્તુનું જેવું નામ, તેવું જ તેનું કામ અને પરિણામ પણ તેવું જ. એમ ત્રણેય બાબતો સંપૂર્ણ હોય તેને જ માનવી તે એવંભૂત નય. દા.ત. ભકત પ્રભુભક્તિ કરી રહ્યો હોય ત્યારે જ આ નયવાળો તેને ભકત' કહે. આ સાતેય નયથી સર્વ વસ્તુઓનો સ્વીકાર કરે તે સમકિતી મનાય છે. એક વસ્તુથી પૂર્ણ કાર્ય થતું નથી. દરેક કાર્ય કરવા માટે જેટજેટલા સંયોગોની જરૂર છે. તેટતેટલા સંયોગ મળે ત્યારે જ કાર્ય બને છે. દા. ત. રસોઈ, તે એકલા પાણીથી કે એકલી સગડીથી નથી બનતી. અનાજ, પાણી, આગ વગેરે બધાં ભેગાં થાય ત્યારે ભાવતાં ભોજન તૈયાર થાય છે. આ દ્રષ્ટાંતસહ સાતેય નયોનો વિચાર કરીને નયની અપેક્ષાથી નિષ્પક્ષપાતી હોય તે જ સત્ય માનવું. સ્યાદ્વાદ [અનેકાન્તવાદ] એક જ વસ્તુને, વિચારને કે વ્યકિતને અનેકવિધ અભિગમ અને દ્રષ્ટિકોણથી જોવા, વિચારવા અને મૂલવવાની પદ્ધતિનું એક નામ એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy