________________
૧૧૮
જૈનધર્મ
સ્યાદ્વાદ. તેનું બીજું નામ અનેકાન્તવાદ' પણ છે.
વિસંવાદમાં સંવાદ સ્થાપિત કરવાની, તીવ્ર અને તીખા વિરોધમાં પણ સત્ય શોધી આપવાની આ વિલક્ષણ વિચારધારા છે. જૈનદર્શનની વિશ્વને આ અનુપમ ભેટ છે.
સ્વાવાદમાં “સ્મા’ શબ્દ પ્રાણ છે. યાત્ એટલે કંઇક. સ્યાત્ એટલે અંશ. સત્ય સદાય બહુઆયામી હોય છે. સત્ય કયારેય પણ એકાન્તિક અને આત્યંતિક નથી હોતું. સત્ય હરહંમેશા સાપેક્ષ હોય છે.
આ સંસારમાં દરેક પદાર્થ અનેક ગુણધર્મવાળો હોય છે. તે દરેકના એકથી વધુ ગુણ અને અવસ્થાઓ હોય છે તે દરેકેનું એક સાથે અને એક સમયે વર્ણન કરવું કોઈ માટે શકય નથી. સર્વજ્ઞ માટે પણ તે શકય નથી. એકી સમયે એકજ ગુણ કે અવસ્થા કહી શકાય છે. અમુક અપેક્ષાથી જ વસ્તુ, વિચાર અને વ્યકિતને જોઈ શકાય છે, જાણી શકાય છે, કહી શકાય છે. આમ સાપેક્ષ વિચારણાને “સ્યાદ્વાદ કે “અનેકાન્તવાદ કહેવાય છે. પ્રસિદ્ધ વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા સ્થાપિત “સાપેક્ષવાદ' એ “સ્યાદવાદનું જ બીજું વિજ્ઞાન-સંમત નામ છે.
- ઉદાહરણથી વિચારીએ : આ એક જ વ્યકિત છે. પરંતુ વિવિધ દ્રષ્ટિકોણથી, ભિન્ન ભિન્ન અપેક્ષાએ તે અનેકવિધ કહેવાય છે. જેમ કે એક વ્યકિત તેના પિતાનો પુત્ર છે. અને પોતાના પુત્રનો પિતા પણ છે. તેમજ તેની પત્નીનો એ પતિ પણ છે. એક વ્યકિત પુત્ર જ છે એમ એકાંતિક કહેવાથી તેને અન્યાય થાય છે. ઝઘડો પણ થઈ જાય. પરંતુ એક વ્યકિત પિતા છે, પુત્ર છે, પતિ પણ છે. આ દરેક ઓળખમાં સત્યનો અંશ ચોકકસ છે.
આમ વિવિધ દ્રષ્ટિકોણથી આત્મા એક છે. તત્વની અપેક્ષાએ, આત્મા અનેક છે દેહની અપેક્ષાએ, આત્મા નિત્ય છે. [શાશ્વતતાની દ્રષ્ટિએ વગેરે તત્ત્વો-પદાર્થોની વિચારણા કરવી તેને “સ્યાદવાદ કહે છે.
સુપ્રસિદ્ધ વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ Theory of Relativityનો સિદ્ધાંત આ સ્યાદ્વાદની વિચારધારાને મહોર મારે છે. તે કહે છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org