SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ "We can only know the relative Truth. The absolute truth is known only to the universal observer." સંલેખના ૧૧૯ ‘સંલેખના' એક પ્રકારનું વિશિષ્ટ તપ છે. તેનો મુખ્ય સંબંધ જીવનની અંતિમ અવસ્થા-મરણ સાથે છે, આથી તેની અલગ અહીં વિચારણા કરી છે. આયુષ્યના અંત સમીપે જ આ તપ કરવાનું વિધાન છે અને તેની નિયત વિધિ પણ છે. સંલેખના એટલે શરીર અને કષાયોને કૃશ કરી નાંખે, પાતળા પાડી નાંખે તેવી તપક્રિયા. જૈન દર્શને જન્મ અને જન્મ સંબંધી બાબતોની વિશદ વિચારણા કરી છે. તે જ પ્રમાણે તેણે મૃત્યુ સંબંધી પણ બહુમૂલ્ય વિચારણા કરી છે. જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ અનેક પ્રકારે થાય છે. બિમારીથી મૃત્યુ થાય છે. ઝેર પીવાથી મૃત્યુ થાય છે. બળી મરવાથી મૃત્યુ થાય છે. અત્યંત વેદનાથી મૃત્યુ થાય છે, પ્રસન્નતાથી પણ મૃત્યુ થાય છે. મૃત્યુના કારણ-ભેદે તેના વિવિધ પ્રકાર બતાવાયા છે. જૈન દર્શને આ વિવિધ મૃત્યુને બે વિભાગમાં આવરી લીધા છે. ૧. અકામ મરણ અને સકામ મરણ. જે જીવો અકામ મરણ મરે છે તેમને વારંવાર મરવું પડે છે અને જેઓ સકામ મરણ મરે છે તેમને ઉત્કૃષ્ટ એકજ વખત મરવું પડે છે. મૃત્યુની ઇચ્છા વિના હાયવોય કરતાં મરવું તેને અકામ મરણ’ કહે છે. મૃત્યુને મહોત્સવ માની જે તેને વિવિધ ફર્મ સાધનાથી વધાવે છે તે ‘સકામ મરણ’ છે. ‘સકામ મરણ’ ના ગુણનિષ્પન્ન પાંચ નામ છે. સકામ મરણ : મુમુક્ષના ભાવ અને પ્રયત્ન મોક્ષ માટેના હોય છે. પુનઃ મરવું ન પડે તેવી ભાવનાથી મરે તે સકામ મરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy