________________
૧૨૦
જૈનધર્મ
- ૨. સમાધિ મરણ : અંત સમયે સર્વ પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી પોતાના ચિત્તને વાળી લઈને સમભાવપૂર્વક મરે તે સમાધિ મરણ.
૩. અનશન : મરણ ન આવે ત્યાં સુધી આહારવિહાર-ભોગ-ઉપભોગના ત્યાગના નિયમ લેવા તે અનશન.
૪. સંથારો : મૃત્યુના બિછાને અંતિમ શયન માટે સુસજજ બને, સૌને ખમાવે-ખમે અને દેહાંત સુધી નવકારનું રટણ કરે તે સંથારો.
૫. સંલેખના : સાંજે દુકાન વધાવતો હોય તેમ સાંસારિક તમામ કામોથી મન-વચન અને કાયાથી નિવૃત્ત થઈને કષાયોને અને શરીરને પાતળા પાડવાની ક્રિયા.
સંખના તપની ચોકકસ વિધિ છે, તે વિધિ મુજબ જ આ તપ કરવાનું હોય છે. આ તપની સમય મર્યાદા જઘન્ય [ઓછામાં ઓછી છ માસની, મધ્યમ બાર માસની અને ઉત્કૃષ્ટ બાર વરસની છે. આ તપમાં છ8, અટ્ટમ, એકાંતર ઉપવાસ અને આયંબિલ કરવાના હોય છે. શકિત મુજબ તિવિહાર કે ચઉવિહાર ઉપવાસ પણ કરાય છે.
આ તપનો તપસ્વી જો એમ વિચારે કે, ૧. મરીને હું મનુષ્યલોકમાં જ જન્મ પામું. ૨. મરીને હું દેવલોકમાં જઉં. ૩. આ તપમાં હું વધુ જીવુ જેથી મારી નામના થાય. ૪. આ તપમાં તો મારો કોઇ ભાવે ય પૂછતો નથી, તેથી હવે જીવ જલ્દી છૂટે તો સારું. ૫. મરીને દેવ થાઉં કે મનુષ્ય પણ બીજા ભવમાં ભરચકક ભોગોપભોગ મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org