SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ જૈનધર્મ - ૨. સમાધિ મરણ : અંત સમયે સર્વ પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી પોતાના ચિત્તને વાળી લઈને સમભાવપૂર્વક મરે તે સમાધિ મરણ. ૩. અનશન : મરણ ન આવે ત્યાં સુધી આહારવિહાર-ભોગ-ઉપભોગના ત્યાગના નિયમ લેવા તે અનશન. ૪. સંથારો : મૃત્યુના બિછાને અંતિમ શયન માટે સુસજજ બને, સૌને ખમાવે-ખમે અને દેહાંત સુધી નવકારનું રટણ કરે તે સંથારો. ૫. સંલેખના : સાંજે દુકાન વધાવતો હોય તેમ સાંસારિક તમામ કામોથી મન-વચન અને કાયાથી નિવૃત્ત થઈને કષાયોને અને શરીરને પાતળા પાડવાની ક્રિયા. સંખના તપની ચોકકસ વિધિ છે, તે વિધિ મુજબ જ આ તપ કરવાનું હોય છે. આ તપની સમય મર્યાદા જઘન્ય [ઓછામાં ઓછી છ માસની, મધ્યમ બાર માસની અને ઉત્કૃષ્ટ બાર વરસની છે. આ તપમાં છ8, અટ્ટમ, એકાંતર ઉપવાસ અને આયંબિલ કરવાના હોય છે. શકિત મુજબ તિવિહાર કે ચઉવિહાર ઉપવાસ પણ કરાય છે. આ તપનો તપસ્વી જો એમ વિચારે કે, ૧. મરીને હું મનુષ્યલોકમાં જ જન્મ પામું. ૨. મરીને હું દેવલોકમાં જઉં. ૩. આ તપમાં હું વધુ જીવુ જેથી મારી નામના થાય. ૪. આ તપમાં તો મારો કોઇ ભાવે ય પૂછતો નથી, તેથી હવે જીવ જલ્દી છૂટે તો સારું. ૫. મરીને દેવ થાઉં કે મનુષ્ય પણ બીજા ભવમાં ભરચકક ભોગોપભોગ મળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy