________________
જૈનધર્મ
૧૨૧
તો આ તપ દૂષિત બને છે.
તપ માત્રનો ઉદ્દેશ્ય ભાવ-વિશુદ્ધિનો છે. અને ભાવવિશુદ્ધિ મોક્ષનું મૂળ છે. આથી સંખના તપમાં ભાવને સવિશેષ વિશુદ્ધ અને વિમળ રાખવાના છે. તપ દરમિયાન સ્વાધ્યાય અને ધ્યાન સતત રાખવાના હોય
[mયો
સમ્યક સમ્યકત્વ જૈન ધર્મની આરાધના-સાધનાની આધારશિલા છે. સમ્યક, સમ્યકત્વ, સમકિત, સમ્યગ્દષ્ટિ આ બધા એક જ અર્થને અભિવ્યકત કરે છે.
સમ્યકત્વ એટલે યથાર્થ. જે જેવું છે તેને તેવા જ રૂપ-સ્વરૂપે જોવું-જાણવું અને માનવું.
જે જાણવા યોગ્ય છે તે જાણવું જે છોડવા યોગ્ય છે તે છોડવું જે સ્વીકારવા યોગ્ય છે તે સ્વીકારવું
[ઉપાદેય] સમ્યકત્વનો સીધો ને સરળ અર્થ વિવેકદ્રષ્ટિ પણ કરી શકાય.
જિનેશ્વરોએ દેવ, ગુરુ અને ધર્મનું જે સ્વરૂપ બતાવ્યું છે તે મુજબ તેમને માનવા અને તેમનામાં અતૂટ અને અખૂટ શ્રદ્ધા રાખવી તેનું નામ “સમ્યકત્ત્વ છે.
જિનેશ્ર્વરોએ પ્રરૂપેલ નવ તત્ત્વોમાં રસ, રૂચિ, શ્રદ્ધા રાખવા, તેને જાણવા, માનવા અને સ્વીકારવા, આને પણ “સમ્યકત્વ' કહે છે. તેનું બીજું નામ ‘સમ્યગ્દર્શન' છે. આ સમ્યગ્દર્શન મોક્ષમાર્ગનું પ્રથમ ચરણ છે.
સમ્યગ્દર્શનના મુખ્યત્વે પાંચ પ્રકાર છે. સમ્યકત્વના વિસ્તારથી ૭ પ્રકાર છે.
સમ્યકત્વના પાંચ અતિચાર છે અને આઠ આચાર છે.
આત્માની ક્ષિતિજે સમ્યકત્વનો સૂર્યોદય થાય છે ત્યારે આરાધકના જીવનમાં નિખ્ખાંકિત ગુણોનો ઉઘાડ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org