________________
૧ર
જૈનધર્મ
૧. શમઃ ચિત્તની શાંતિ અને સમતા.
૨. સંવેગ : મોક્ષમાર્ગની આરાધનામાં સહજ ઉલ્લાસ અને ઉમંગ.
૩. નિર્વેદઃ સાંસારિક ભોગપભોગ પ્રત્યે અરૂચિ, વિરકિત. ૪. અનુકંપા : કરુણા અને દયા. સમ્યકત્વનો વિરોધી શબ્દ છે, મિથ્યાત્વ. -
મિથ્યાત્વ એટલે સાવ ઊલ્ટી અને ઊંધી સમજ. વસ્તુની યથાર્થતાનો ઈન્કાર કરીને અયથાર્થતામાં રાચવું.
૫. આસિક્ય : આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે, ભોકતા છે, કર્મનો બંધ છે અને મોક્ષ છે- જૈન દર્શનના આ શાશ્વત સત્યોમાં અડગ શ્રદ્ધા.
જ્ઞાન
- જૈન દર્શન જ્ઞાનને આત્માનો મૂળભૂત ગુણ માને છે. આત્મા અનન્ત જ્ઞાનમય છે. જ્ઞાન અને જ્ઞાની ભિન્ન પણ છે અને અભિન્ન પણ, જ્ઞાન મુખ્યત્વે પાંચ પ્રકારનું છે.
૧. મતિજ્ઞાન : પાંચ ઈન્દ્રિયો અને મન, એમ છ વડે જાણવું તે મતિજ્ઞાન કહેવાય છે. મુખ્યત્વે તે ૨૮ અને વિસ્તારથી ૩૪૦ પ્રકારનું છે.
૨. શ્રુતજ્ઞાન : સાંભળવાથી અને જોવાથી જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન છે. વિચારવું, વ્યાખ્યા કરવી, સમજાવવું, ભણવું-ભણાવવું તે શ્રુતજ્ઞાન છે. શાસ્ત્રોનો સમાવેશ શ્રુતજ્ઞાનમાં થાય છે. આ જ્ઞાન ૧૪ પ્રકારનું છે.
૩. અવધિજ્ઞાન : મન અને ઇન્દ્રિયોની મદદ વિના માત્ર આત્મશક્તિથી મર્યાદિત સીમામાં રહેલાં મૂર્ત-રૂપી પદાર્થોને જાણી શકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org