SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર જૈનધર્મ ૧. શમઃ ચિત્તની શાંતિ અને સમતા. ૨. સંવેગ : મોક્ષમાર્ગની આરાધનામાં સહજ ઉલ્લાસ અને ઉમંગ. ૩. નિર્વેદઃ સાંસારિક ભોગપભોગ પ્રત્યે અરૂચિ, વિરકિત. ૪. અનુકંપા : કરુણા અને દયા. સમ્યકત્વનો વિરોધી શબ્દ છે, મિથ્યાત્વ. - મિથ્યાત્વ એટલે સાવ ઊલ્ટી અને ઊંધી સમજ. વસ્તુની યથાર્થતાનો ઈન્કાર કરીને અયથાર્થતામાં રાચવું. ૫. આસિક્ય : આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે, ભોકતા છે, કર્મનો બંધ છે અને મોક્ષ છે- જૈન દર્શનના આ શાશ્વત સત્યોમાં અડગ શ્રદ્ધા. જ્ઞાન - જૈન દર્શન જ્ઞાનને આત્માનો મૂળભૂત ગુણ માને છે. આત્મા અનન્ત જ્ઞાનમય છે. જ્ઞાન અને જ્ઞાની ભિન્ન પણ છે અને અભિન્ન પણ, જ્ઞાન મુખ્યત્વે પાંચ પ્રકારનું છે. ૧. મતિજ્ઞાન : પાંચ ઈન્દ્રિયો અને મન, એમ છ વડે જાણવું તે મતિજ્ઞાન કહેવાય છે. મુખ્યત્વે તે ૨૮ અને વિસ્તારથી ૩૪૦ પ્રકારનું છે. ૨. શ્રુતજ્ઞાન : સાંભળવાથી અને જોવાથી જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન છે. વિચારવું, વ્યાખ્યા કરવી, સમજાવવું, ભણવું-ભણાવવું તે શ્રુતજ્ઞાન છે. શાસ્ત્રોનો સમાવેશ શ્રુતજ્ઞાનમાં થાય છે. આ જ્ઞાન ૧૪ પ્રકારનું છે. ૩. અવધિજ્ઞાન : મન અને ઇન્દ્રિયોની મદદ વિના માત્ર આત્મશક્તિથી મર્યાદિત સીમામાં રહેલાં મૂર્ત-રૂપી પદાર્થોને જાણી શકાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy