Book Title: Jain Dharma
Author(s): Bhadrabahuvijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 68
________________ જૈનધર્મ ‘ન્યૂક્લિઅસ’ હોય છે. આ ઈંડા ઓવરીમાં ઉત્પન્ન થાય છે. ઓવરીમાંથી સરકીને ગર્ભાશય Uterus સુધી પહોંચે છે. જો એનામાં જીવન-અંશ ના હોય તો ચાલવાની શક્તિ કેમ સંભવી શકે! શુક્રાણુની રચના અને ઈંડાની રચના બહુ સમાન હોય છે. કહેવાતા અન-ફર્ટીલાઇઝડ એગ' પણ જીવન-અંશથી યુક્ત હોય છે. મરઘીના ન સેવવા માત્રથી ઈંડાને નિર્જીવ ન કહી શકાય. કારણ કે આજકાલ તો આર્ટીફિશીયલ મશીનો દ્વારા ફર્ટીલાઇઝડ એગ્સમાંથી બચ્ચાઓ મેળવી લેવાય છે. પરખનળી Test tubesના દ્વારા અનર્ટીલાઇઝડ એગ્સને આર્ટિફીસીયલ મેથડ'થી ફર્ટીલાઇઝડ કરીને પૂર્ણ જંતુરૂપે વિકસિત કરી શકાય છે. અનફર્ટાઇલ એગ્સ મેળવવાનો જે સ્ત્રોત છે, ફર્ટાઇલ એગ્સના સ્ત્રોતથી અલગ તો નથી જ. બંને મરઘી દ્વારા જ મેળવવામાં આવે છે. બંનેની રાસાયણિક પ્રક્રિયા પણ અલગ નથી. ૫૭ જો ગર્ભાધાનની પ્રક્રિયાને સમજવામાં આવે તો જણાઇ આવશે કે ગર્ભાધાન ઘણી વખતે માત્ર ઈંડાના શરીરવિકાસમાંજ સહાયક બને છે. parthenogenestsની પ્રક્રિયા દ્વારા પણ ક્યાંક ગર્ભ વધે છે. એના માટે શુક્ની જરૂરિયાત પણ નથી રહેતી. અમુક વૈજ્ઞાનિક પરીક્ષણ દરમ્યાન આ તત્વ પણ સામે આવ્યું છે કે અનિષેચિત ઈંડાની ભાવનાનું અભિલેખન Recording એમને જાદી જાદી રીતે ઉત્તેજિત કરીને કરવામાં આવ્યું તો એનામાં પણ સાધારણ નિષેચિત ઈંડા કે જીવતા પ્રાણીઓ જેવી જ લાગણીઓ જોવા જાણવા મળી હતી. [The Frontier of Science & Medicine by Carlson in 1975] શરાબ ત્યાજ્ય છે : ધાર્મિક દૃષ્ટિકોણથી શરાબ-દારૂ માનસિક વૃત્તિઓને ઉત્તેજે છે.... અને પ્રવૃત્તિઓ પર એના વિપરીત પરિણામો પડે છે.. આ તો (અનુસંધાન પેજ નં ૬૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164