________________
૧૪
જૈન ધર્મ વિકાસ,
ટંટા બખેડા કરવાની સ્થિતિ ઉન્ન થઈ, આ ધર્મપ્રચારની ઉદાર ભાવના ? જૈનધર્મની ઉદાર ભાવનાઓમાં મુમુક્ષુઓને આકર્ષવાનું બળ હતું, ઉદાર ભાવથી ધર્મગુરૂએ ધર્મતને પ્રચાર કરતા આ બધું ઈતિહાસ પરથી આપણે જાણવા છતાં ઉદાર ભાવનાને અભાવે આપણે એ ચીલે ત્યજી આંતરકલહમાં રાચી રહ્યા છીએ. - મતભેદની નાની બાબતેને મેટું રૂપ આપી આપણે શક્તિને વ્યર્થ વ્યય કરી રહ્યા છીએ શા માટે આપણે ભેગા બેસી તિથિચર્ચાને નિર્ણય ન લાવી શકીએ? આટલે કલેશ. આટલા આંચકા, આવી બાબત માટે સમાજને આપવાની શી અગત્ય છે.
પિપરોમાં સૌ મરજી પ્રમાણે લખી નાખે, હું લખું ને તેયે લખે આમાં નિર્ણયાત્મક તત્વ શું? પૂર્વના સમયમાં જૈન સમાજમાં આવી અને દશા હોત તે ભારતવર્ષની તવારીખમાં જૈનત્વનું જે ઔજસૂ પડે છે. એ કેમ પડી શક્ત ? આજના નુતન યુગમાં આપણે આ કલહમાં રાચી કયી રીતે જૈનત્વની ભાત પાડી શકીશું?
ભવભીતા છે, જે સાચું તેજ મારૂં માને. મુનિગણુને માટે ભાગ જે પરંપરાને માન આપતે હોય તેને છોડી માન્યતા મુજબ કક્કો ઘૂંટાવવા તૈયાર થવું એ રાગદ્વેષનું પિષક છે.
નાનકડી આવરદાની મર્યાદામાં રાગદ્વેષની પરિણતીમાંથી બચવા આપણા આત્માએ પ્રયત્ન ન કરવાને બદલે કલહના આ કાદવમાં શીદને રગદેળાય છે?
હાલ જે તિથિપ્રકરણ ઉદ્દભવેલું છે. તે પણ રાગદ્વેષની મહાન પરિણતિને પિષનારું છે. અરે! ખુબ પિોષી રહ્યું છે, તેમાંથી બચવા ખાસ આપણેજ સ્થાપિત કરેલી નવ આચાર્યશ્રીમાનેની કમિટી એકત્ર થઈ બબર નિર્ણય કરી સંઘમાં રહેલા કુસંપને નાબુદ કરે એજ હારી અંતિમ પ્રાર્થના !
કલેશના પ્રચારથી જોન કેમ સંગીન કાર્ય કરવા અશક્ત બનશે. મારી મરજી પ્રમાણે હું કાર્ય કરવા તૈયાર થાઉં. અને બીજાઓ વળી બીજી મરજીથી કામ કરે. આવી સ્થિતિથી પણ જે લાભ મળશે તે કલેશથી તે નહિજ મેળવી શકીએ. વાતે નમ્રભાવે કલેશાગ્નિને નાબુદ કરવા મારા સહદ યત્ન કરશે એજ અભિલાષા !
પંડિત ધનહર્ષ ગણું કૃત પ્રશ્નોત્તરે. પ્રશ્ન–માસાની અઠ્ઠાઈ જ્યાં સુધી ગણવી? ચૌદશ સુધી કે પુનમ સુધી?
ઉત્તર–ચૌમાસીની અઠ્ઠાઈ હમણાં ચૌદશ સુધી ગણાય છે અને પુનમ તો પર્વતિથિ તરીકે આરાધવી જ જોઈએ.