________________
૬ ૩ર
- જેન ધર્મ વિકાસ.
સેનપ્રશ્નના ઉદ્દઘાતને નામે આવું લખવું શોભાસ્પદ નથી. લેખક જરૂર પોતાના વિચારો પુસ્તિકારૂપે રજુ કરી શકત. એને બદલે આવું સાહિત્ય પૂર્વ પુરૂષોના વક્તવ્ય સાથે રજુ કરવું એ ગ્રંથવાંચનમાં આઘાત કરવા જેવું છે.
વિક્રમચરિત્ર-લે. મણિલાલ ન્યાલચંદ શાહ પ્ર. નાગરદાસ પ્રાગજીભાઈ મહેતા ડેશીવાડાની પિળ. અમદાવાદ. રૂ. ૩-૦-૦
જેને સસ્તી વાંચનમાળાનું પ્રકાશન બંધ પડતાં લગભગ અદ્રશ્ય થયેલા સારા પ્રમાણમાં જેન એતિહાસિક કથા સાહિત્યનું ખેડાણ કરનાર ભાઈ મણિલાલ ન્યાલચંદ શાહ. પં. શુભશીલગણુકૃત વિક્રમચરિત્રને નવલરૂપે અનુવાદ - આપણુ સમક્ષ રજુ કરે છે. પુસ્તકને આવકારતો અત્રે લેખકને જૈન સાહિત્ય
સેવામાં મગ્ન રહી સારાં લેખને આવી જ રીતે આપ્યા કરવા અનુરોધ કરીએ ( છીએ. વિક્રમ જીવનના પંચરંગી પ્રસંગમાં વાંચકોને જરૂર રસ પડશે. પ્રકાશનમાં
આર્થિક મદદ મળી છે તેમજ બીજી રીતે પણ કિંમત વધુ છે. એ તરફ અત્રે પ્રકાશકનું ધ્યાન ખેંચીએ છીએ. - ' મહેન્દ્ર જૈન પંચાંગ–કર્તા મુનિશ્રી વિકાસવિજયજી. પ્રહ અમરતલાલ કેવ"ળદાસ મહેતા નાગજી ભુદરની પિળ, અમદાવાદ. મુલ્ય રૂા. ૦-ર-૦
જૈન સમાજમાં આજે તિથિચર્ચા કલહને વિષય થઈ પડી છે. એ સમયે જૈનશાસ્ત્રિય દ્રષ્ટિને માન્ય એવું મહેન્દ્ર જન પંચાંગ છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વિકમની પંદરમી સદીમાં શ્રી મહેન્દ્રસૂરિએ રચેલા યંત્રરાજ ગ્રંથ પરથી અને આજના વિજ્ઞાનની શેનો ઉપયોગ કરીને મુનિશ્રી વિકાસ વિજ્યજીએ અભ્યાસક દ્રષ્ટિથી આ પંચાંગ તૈયાર કર્યું છે. ઉપયોગી એવી ઘણી સામગ્રીને એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આજની કલહ ભરતીમાં ઓટ આવતાં આ પંચાંગ પિતાનું ચોક્કસ સ્થાન મેળવી લેશે એવી આશા રાખી, અમે મુનિશ્રીના ઉત્સાહને આવકારીએ છીએ.
મુદ્રા-હીરલાલ દેવચંદ શાહ, “શારદા મુદ્રણાલય.” જુમાભજીદ સામે–અમદાવાદ, પ્રકાશક –ભેગીલાલ સાંકળચંદ શેઠ. “જેનધર્મ વિકાસ” ઓફિસ. શ્રી જૈનાચાર્ય
વિજયનીતિસૂરિશ્વરજી વાંચનાલય. ૫૬/રીચીરોડ-અમદાવાદ . . .