Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન ધર્મ પ્રકાશ. રૂપ આત્માનું સર્વસ્વ ચારી લેવાનું છે. જીવ પોતાના મનમાં ગમે એવા સારા વિચાર ઘડતે હોય, વચનથી ગમે એવી વૈરાગ્યની વાતો કરતે હોય અને કાયાથી પણ સદનુકાન સેવતો હોય, પરંતુ જ્યારે અનુકૂળ વિષય સામગ્રી ઉપસ્થિત થાય છે ત્યારે તેની ત્રિપુટીમાં કંઈક ક્ષેભ થાય છે. પછી અનુક્રમે મન તન અને વચનમાં વિષયવાસના પ્રગટે છે, અને એમ થતાં જે શાંતિ સમાધિરૂપ સહજ સુખ અનુભવાતું હોય છે તે સુખબાધક નિમિત્તે મળતાં ઇંદ્રિયની ચપળતાથી અને વિષયવાસનાની જાગૃતિથી સુબિત થાય છે, ડોળાઈ જાય છે, અને અંતે લુપ્ત થઈ જાય છે. આવી રીતે ઇદ્રિ પિતાને પ્રાપ્ત થયેલા અનુકૂળ વિષયની સહાયથી આત્માનું સહજ સમાધિરૂપ ધન ચોરી લે છે, અને આત્માને દીન અનાથ રંક જે કરી નાખે છે. તેથી પરમ અનુભવી પુરૂ પ્રબળ પુરૂષાર્થ વડે ઇંદ્રિયને પરાજય કરવા તપ જપ સંયમાદિક સ. દુપાયને સદ્વિવેકથી સેવા વિષયવાસના નિર્મૂળ કરી પરમ સમાધિ રસુખ પ્રાપ્ત કરે છે, અને અન્ય આત્મહિતૈષી જનોને પણ સદુપાયો દર્શાવી ઇંદ્રિને પરાજય કરી વિષયવાસના ટાળી આત્માનું સહજ સમાધિસુખ આસ્વાદવા અને તે જાળવી રાખવા ઉપદિશે છે. ખરેખર એવા અધ્યાત્મવેદી મહાત્માઓ પરમ ઉપગારી - વાથી પરમપૂજ્ય છે, પરંતુ તે મહા પુરૂષોને ઉપદેશામૃતનું અત્યંત રૂચિથી પાન કરી જે મહાનુભાવો સદ્વર્તન સેવે છે તેઓ પણ ધન્ય ધન્ય છે. શાસ્ત્રકારે પણ કહ્યું છે કે વનવયમાં ભેગસમર્થ છતાં જેમણે સંતેષરૂપી પ્રકારનું અવલંબન લઈ ઈદ્રિયબળને ભાંગ્યું છે તેમણે ખરેખર દુષ્કર કાર્ય કર્યું છે. કટાક્ષ નાખીને જેનારી સ્ત્રીથી જેમનું મન #ભ પામ્યું નથી--પામતું નથી તેવા સંયમધ૨ સાધુ જનને ધન્ય છે, તેમને અમારે નમસ્કાર છે, તેમના અમે કિકર છીએ. ચરિત્રથી–સ્ત્રીસંગથી જે વંચિત થયા નથી તે જ ખરેખર શૂરવીર અને નમઃ સ્કરણીય છે. તેમને અમે વિવિધ નમીએ છીએ. કિ બહના! જે તમે અક્ષય અને વ્યાબાધ એવું શિવ સુખ ચાહતા હો તે વિષયથી વિમુખ થઈ નિત્ય પ્રતિ સંવેગ રસાયણનું પાન કરે. પાંચે ઇન્દ્રિયોને દમવાની યુતિ. - ઉક્ત અષ્ટકમાં શાસ્ત્રકારે ઇન્દ્રિયની વિધમતા સિદ્ધ કરી બતાવી છે. તેવી વિષમ ઇંદ્રિને ખોટે ભાગે પ્રવર્તતી અટકાવવાને એક ઉત્તમ રસ્તો એ છે કે તે . દિને પ્રથમ અપ્રશસ્ત વિષયમાં પ્રવર્તતી અટકાવી પ્રશરત વિષમાં જોડવી. તે એવી રીતે કે જે થુલ દેવટે સ્ત્રીસંભેગાદિક તુચ્છ વિષયભેગમાં પશુવતું મમ થવાનું હોય છે, તે રવૃળ દેવડે ચિત્તમાં સંતોષવૃત્તિ આદરી શુદ્ધ દેવ ગુરૂ અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36