________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મિક પ્રભાત.
'૮૧. હુમાન કરવા હવે ઉજમાળ થવાની જરૂર છે. સ્વહિત કાર્યમાં ગફલત કરવાથી જી. વને અત્યાર સુધી બહુ ખમવું પડ્યું છે અને આગળ ખમવું પડશે માટે હવે વધારે વખત સ્વહિત સાધનની ઉપેક્ષા નહીં કરતાં જેમ બને તેમ જલદી ખંતથી અને પ્રેમથી સરગતિ સેવીને સ્વહિત સાધી લેવા પૂરતું લક્ષ રાખવું, તેમાં ગફલત કરવી એ સોનેરી તક ગુમાવવા જેવું કામ છે. કેમકે સ્વહિત સાધવા અંતર લક્ષરૂપ સુવિવેક જાગ જીવને બહુ બહુ દુષ્કર છે.
૨૮ તાસ વિમુખ જેડતા અવિક-ઉક્ત પ્રકારનું આત્મ લક્ષ તજી કેવળ જડ એવી પુદ્ગલિક વસ્તુમાં જ પ્રીતિ ધરવી, તેમાં નિમગ્ન થઈ રહેવું, એથી ઉપરાંત બીજું કંઈ કર્તવ્ય અવશિષ્ટ (બાકી) નથી. ખાનપાન એશઆરામ કરવા એજ આ દુનિયામાં સારી વસ્તુ છે અને એજ પ્રાપ્ત કરવા અહેનિશ ઉદ્યમ કર્તવ્ય છે. આવા એકાંત અજ્ઞાનગર્ભિત કુવિચાર તેજ અવિવેક છે. એવા અવિવેકથી જ મિથ્યા વાસના વૃદ્ધિ પામે છે, અને એથી જ જીવ સંસારચકમાં ભ્રમણ કરે છે, જન્મ જરા મૃત્યુ આધિ વ્યાધિ ઉપાધિ અને સંગવિયોગજન્ય અનંત દુઃખ દાવાનળમાં પચાયાજ કરે છે, અને તેમ છતાં મેહમદિરાના પ્રબળ વેગવિકારથી તે પિતાને સુખી લેખે છે અથવા એવાજ કપિત ક્ષણિક સુખની આશા રાખ્યા કરે છે; આવા અગ્ય જીવનું કલ્યાણ શી રીતે થાય?
અપૂણ.
आत्मिक प्रभात. આનંદઘનજી મહારાજ અને ઘડિયાળી. (લેખક તીચંદ ગિરધરલાલ કાપડીઆ સેલીસીટર)
(અનુસંધાન પૃષ્ઠ ૬૪ થી ) આત્મ સ્વરૂપ શું છે? અનંત, અક્ષય,અવિનાશી, અવ્યાબાધ, અજ, અજરામર, અરૂલઘુ વિગેરે અનેક વિશેષણોથી યુક્ત, અનંતજ્ઞાનદર્શનાદિથી યુક્ત નિરંતર આત્મસ્વરૂપમાં રમણ કરનાર અને એ સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી ફરીવાર દુઃખનો અનુભવ કદિ પણ નહિ કરનાર તું આત્મા છે. શરીર તારૂં નથી, તું નથી, ઇદ્રિ તારી નથી, ધન તારૂં નથી, અનંત ગુણ શિવાય બીજી કોઈ વસ્તુ તારી નથી, તારી મૂળ સ્થિતિ એવી સુંદર છે કે ત્યાં શેક, વિયેગ, અરતિ, અપમાન, કદના, તાડન,તર્જન, દમન, આજ્ઞા કે એવું કાંઈ પણ અનિષ્ટ નથી; ત્યાં નિજસ્વરૂપરમણતાજ છે, અને એને આનંદ એ અપૂર્વ છે કે તેને ખ્યાલ આવી મુશ્કેલ છે. - ૧ જેને જન્મવાનું નથી.
For Private And Personal Use Only