Book Title: Jain Darshan
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 470
________________ પંચમ ખંડ : ૪૨૫ : ક્યા ધર્મોમાં પરસ્પર વિરોધ છે એ વાત આપણે પહેલેથી નથી જાણી શકતા; પણ જ્યારે આપણને એ વાત માલુમ પડે છે કે અમુક બે ધર્મો એક સમયમાં એક જગ્યાએ રહી શકતા નથી ત્યારે તેમને પરસ્પર વિરોધ જાણવા અને માનવામાં આવે છે. પણ જે બે ધર્મો એકત્ર સાથે રહી શકતા હોય તે પછી એમને વિરોધ કે? સ્વ-રૂપની અથવા રૂદ્રવ્યાદિચતછયની અપેક્ષાએ “અસ્તિ” અને એ જ અપેક્ષાએ “નાસ્તિ” એમ જે માનવામાં આવે તે ખરેખર એ વિરોધની વાત ગણાય. પણ સ્વ-રૂપથી અથવા સ્વદ્રવ્યાદિચતુષ્ટયની અપેક્ષાએ “અસ્તિ” અને પર-રૂપથી અથવા પરદ્રવ્યાદિચતુષ્યની અપેક્ષાએ “નાસ્તિ” એમ માનવામાં વિરોધ કે? આમ, “અસ્તિ”, “નાતિ” બંને એક વસ્તુમાં અપેક્ષાભેદે માનવામાં વિરોધ જ નથી અને વિરોધ ન હોવાથી જ વિરોધમૂલક મુકાયેલાં [ “અનેકાંત” ઉપર] દૂષણે નિરવકાશ બની જાય છે. વિચાર કરતાં જોઈ શકાય છે કે સપ્તભંગીમાં મૂળ ભંગ તે ત્રણ છે. (૧) અસ્તિ, (૨) નાસ્તિ અને (૩) અવક્તવ્ય. બાકીના ભંગ તે એમના (એ ત્રણના) સંગથી બનેલા છે. ભગવતી સૂત્રમાં “સિમ અસ્થિ, સિક સ્થિ, સિમ સવ ” એ પ્રમાણે ઉપરના ત્રણ જ અંગે ઉલ્લેખાયેલા છે. સપ્તભંગી એ ત્રિભંગીની વિશેષ વ્યાખ્યા છે. કઈ પણ પ્રશ્નનો ઉત્તર દેવા વખતે આ સાત ભંગમાંથી કઈને કઈ ભંગને ઉપગ આપણે કરવું પડે છે. પ્રસ્તુત વિષયને સુગમ કરવા માટે આપણે એક સ્કૂલ ઉદાહરણ અહીં જોઈએ. કેઈ મરણસન્ન રોગીના વિષયમાં પૂછવામાં આવે કે એની કેવી હાલત છે? તે એના જવાબમાં વૈદ્ય નીચે જણાવેલ સાત ઉત્તરોમાંથી કેઈ એક ઉત્તર આપશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565