Book Title: Jain Darshan
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 560
________________ ષષ્ઠ ખંડ * ૫૧૫ માટે પણ પિતાનાં ધર્મ સંસ્થાનાં દ્વાર ખુલ્લાં કરી દીધાં જૈન. દીક્ષાને પામી ત્રાષિ–મહર્ષિ–મહાત્મા બનેલા એવા માણસોનાં ચરિત ઉત્તરાધ્યયન સૂત્રમાં બારમા, તેરમા અધ્યયનમાં ગવાયાં છે. તે જમાનામાં સ્ત્રીનું સ્થાન કેટલું હીન કેટીએ મૂકી દેવામાં આવ્યું હતું, અને વૈદિક ધર્મની તે વખતની પ્રણાલિકાએ સ્ત્રીને કેટલી તિરસ્કારી દીધી હતી, ત્યારે અહંન મહાવીરે જગની આગળ સ્ત્રીને પુરૂષની સમકક્ષ જાહેર કરી અને ધાર્મિક ક્ષેત્રમાં પુરૂષના સરખે દરજજે ચડાવી તેને સંન્યાસ દીક્ષામાં પણ સ્વીકારી લીધી. શ્રમણ ભગવાન મહાવીરનું ધર્મચક્ર તે વખતે વ્યાપકરૂપે ક્રાન્તિકારક બન્યું હતું, જેણે પ્રકાશ અથવા વિકાસમાં આણેલ ધર્મમાર્ગને એના સાચા રૂપમાં આપણે માનવધર્મ કહી શકીએ, જે બધા (જગના સઘળા માણસે) પ્રત્યે ન્યાય અને સમાનતાની દષ્ટિવાળે હે ઈ જગતને કઈ પણ માણસ પોતાની સ્થિતિ–સંજોગ પ્રમાણે એને (એ ધર્મને ) અનુસરી શકે છે, પાળી શકે છે. એ માર્ગ જિને૪ પ્રકાશ કે પ્રચારમાં આણેલ હોવાના કારણે જ “જૈન” ધર્મ કહેવાય છે, બાકી એની વાસ્તવિકતા અને વ્યાપકતા જોતાં એ સર્વજનસ્પશી અને સર્વજનહિતાવહમાર્ગદર્શક ધમ “ જનધર્મ કહી શકાય. વિશ્વબધુ મહાવીરે નામધારી કે ઢીલાપોચા શમણે, * મહાવીરે દાસીપણુમાં સપડાઈ પડેલી રાજકુમારી “ચંદનબાળા અને સંન્યાસિની બનાવી (સર્વવિરતિચારિત્રદીક્ષા આપી) એ આર્ય મહિલાથી સાધ્વી સંસ્થાને પ્રારંભ કર્યો છે. * અને “જિન” કઈ એક વ્યક્તિનું નામ નથી, પણ કોઈ પણ પૂર્ણદ્રષ્ટા વીતરાગ રાનીનું નામ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 558 559 560 561 562 563 564 565