Book Title: Jain Adarsh Prasango Part 02 Author(s): Bhadreshvarvijay Publisher: Bhadreshvarvijay View full book textPage 6
________________ ઘણી જાણવા મળે છે. પણ આ પુસ્તિકામાં લગભગ શ્રાવકોની વિશિષ્ટ આરાધનાના પ્રસંગો લીધા છે. થોડા જૈનેતરોના તથા સંસ્કૃતિના પ્રેરક પ્રસંગો પણ લીધા છે. ઉદારતાથી મુનિરાજ શ્રી સંયમબોધિવિજયજીએ સંપાદન કરી આપ્યું તેમનો ખૂબ આભાર. આજે ચારેબાજુના ભયંકરવાતાવરણમાં આરાધના ખૂબ મુશ્કેલ બની છે. તેથી આત્મ હિતેચ્છુઓ માટે એ અતિ આવશ્યક છે કે કદાચ આરાધના ઓછી થાય તો પણ આરાધકોની આરાધના આવા પુસ્તકોથી અવશ્ય જાણવી, તેને વારંવાર યાદ કરવી, તેની ભાવથી અનુમોદના કરવી, જેને કારણે સદ્ગતિ ને આત્મહિત શકય બને. પ્રાંતે આરાધનાને અનુમોદનાથી શીઘશિવસુખના સ્વામી બનો એ જ એકની એક શુભાભિલાષા ' ઓપેરા, અમદાવાદ - પંન્યાસ. ભદ્રેશ્વરવિજયજી અ.સુ.વિ.સં. ૨૦૧૧ જેન આદર પ્રસંગો ભાગ પ્રથમ માટે પ.પૂ.આ.મ. શ્રી વિ. રત્નસુંદરસૂરિશ્રી મ. નો અભિપ્રાય "....નાનકડી પણ ભારે પ્રેરણાદાયી પુસ્તિકા... આ અનુમોદનીય પ્રયાસ અનેક આત્માઓને આરાધનામાં ટકી રહેવા માટે આલંબનરૂપ બને તેવો પણ છે." Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52