Book Title: Jain Adarsh Prasango Part 02
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 11
________________ '૩. પ્રવચનથી પનિત પશે | મુંબઈ ભીવંડીમાં મહાત્મા વ્યાખ્યાન આપતા હતા. ત્યાંથી જતા એક શ્રાવકને વ્યાખ્યાન સાંભળવાની ઈચ્છા થઈ. એક જ પ્રવચન સાંભળી પોતાના પાપી પૂર્વજીવન પ્રત્યે પારાવાર પશ્ચાત્તાપ થયો. સાતે વ્યસનોમાં ગળાડૂબ તેણે સાતેયનો ત્યાગ કર્યો! પ્રભુપૂજા શરૂ કરી. જિનવાણી સાંભળતાં ભાવ વધતાં ૪ લાખ રૂ. ખર્ચ અષ્ટપ્રકારી પૂજાની સકલ સામગ્રી સોનાની તૈયાર કરાવી. શ્રેણિક, કુમારપાળ વગેરેની અદ્ભુત પ્રભુભક્તિ જાણી, પોતે ચાંદીની ગીની રોજે રોજ મૂકે છે! આ માટે વાર્ષિક રૂ. ૩૬,૦૦૦ વાપરે છે. સુંદર સાથિયો રચવા સોનાના ચોખા વચ્ચે હીરા મૂકાવી લગભગ ૧ લાખમાં તૈયાર કરાવ્યા. રોજ બે ટાઈમ પ્રતિક્રમણ, સામાયિક કરવા માંડયા. તપનો પણ ભાવ થતાં સજોડે વર્ષીતપ શરૂ કર્યો. વર્ષીતપ દરમ્યાન બ્રહ્મચર્ય જેવું કઠીન વ્રત શરૂ કર્યું ! આવી અનેકવિધ આરાધનાનો યજ્ઞ કરતાં એ વિમલ બુદ્ધિવાળા સુશ્રાવક મહારાજશ્રીને વિનંતિ કરે છે કે તિજોરીની ચાવી આપને આપી દઉં. મારા હિત માટે આપ કહો તે બધા સ્થાનોમાં તમે કહો તેટલો લાભ લેવા તૈયાર છું. હવે મારા કર્તવ્યથી ચૂકું તો દોષ આપનો ! દીક્ષાની ભાવનાવાળા, સંસારમાં ફસેલા, નિમિત્તવશ પાપો કરનારા આ પુણ્યશાળીનું આખું જીવનપરિવર્તન કરનારી મહાપ્રભાવક જિનવાણીએ તો અનંતા પાપીઓનો પણ ઉદ્ધાર કર્યો છે ! શ્રાવકનાં મહત્ત્વના કર્તવ્યભૂત આ પ્રવચન શ્રવણ તમે પણ અવશ્ય કરી આત્મહિત સાધો એ મંગલ કામના. આવા ભયંકર કલિકાળમાં પણ અનેકોને અનેકવિધ પ્રેરણા કરનારા આ વ્યાખ્યાન શ્રવણનો ધર્મ તમે નિયમિત કે શકયતા મુજબ આરાધી વધુને વધુ આત્મહિત સાધો એ શુભેચ્છા. '૪. ધર્મદ્રઢ સુશ્રાવિકા ધર્મપ્રેમી એ શ્રાવિકાએ બીજા ગર્ભાધાન પ્રસંગે નિર્ણય કર્યો કે મારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52