Book Title: Jain Adarsh Prasango Part 02
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 22
________________ બાહુવિજય બની સ્વપરહિત સાધે છે. સર્વ જીવોના દુઃખો દૂર કરવાનો જિનોપદેશ સહી ગીતાબહેન જેવા સેંકડો પુણ્યાત્માઓ પોતાના પ્રાણના ભોગે લાખો જીવોને બચાવે છે. આવા કોઈ પ્રસંગ જોવા મળે તો તમે પણ થોડી હિંમત કેળવી આવા અબોલ પ્રાણીઓના અભયદાનનો અનંત લાભ લો, એ જ શુભ કામના. ' ૧૮ નવ (Save) શ્રાવકપણ - મુંબઈના ગુરૂભક્ત ગોવિંદજીભાઈ ખોના પ.પૂ. ગુરૂદેવ આ.ભ. શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. મુંબઈમાં જ્યાં પણ હોય ત્યાં દરરોજ અવશ્ય સપરિવાર વંદન કરે. શેફાલીના પી.પી. શાહ વર્ષોથી રોજ પ.પૂ. તપસ્વીસમ્રાટ આ. ભ. શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મ.સા. અમદાવાદમાં જ્યાં પણ હોય ત્યાં ગુરૂવંદન કરવા જાય છે ! ધરણીધર પાસેના સતીશભાઈ, વાસણાના મધુભાઈ આદિ પ.પૂ. આ.ભ. શ્રીમદ્દ વિજય ભદ્રકરસૂરીશ્વરજી મ.સા. અમદાવાદમાં જ્યાં પણ બિરાજમાન હોય ત્યાં જઈ રોજ વંદન અવશ્ય કરે છે ! ધન્ય છે આવા ગુરૂભક્તોને! (દરરોજ દુકાને, નોકરી વગેરે સ્થળે આખી દુનિયા જાય, પણ પોતાની નજીક સાધુ મહારાજ હોય તેમને પણ વંદન રોજ કેટલા કરે ?) શ્રી તીર્થંકર દેવોએ જેમ પ્રભુપૂજા શ્રાવકનું રોજનું કર્તવ્ય કહ્યું છે તેમ ગુરૂવંદન શ્રાવક માટે દૈનિક ધર્મ છે. આવા ખૂબ સહેલા કર્તવ્યને તમે બધા આચરો અને આવા સેંકડો ગુરૂભક્તોને ભાવથી વંદના ને તેમના આવા સુકૃત્યોની અનુમોદના કરો એ જ શુભેચ્છા. ટી.વી. જેમ સેવ વોટર (Save Water) ની ચેતવણી આપે છે એમ જ્ઞાનીઓ આપણને શ્રાવકપણાની રક્ષા કરવાની પ્રેરણા કરે છે. 1. ૧૯ ચોવિહારે મરતાં બચાવો | ન , એક્સીડન્ટ થયો. એક મર્યો. બીજો સીરીયસ હતો. તપાસીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52