________________
જેમ સ્વર્ગમાં રહેલી ગંગાને ઝીલવા માટે મહાદેવજી-શિવની જરૂર પડી તેમ પ.કૃ. દેવના જ્ઞાનમાંથી અવતરણ પામેલ આત્મસિદ્ધિને ઝીલવા માટે શ્રી સૌભાગ્યભાઈ મળ્યા, કે જેથી આજે આપણે આત્મસિદ્ધિનું અવગાહન કરવા ભાગ્યશાળી બન્યા છીએ.
રાજા ભગીરથ સ્વર્ગમાંથી આવી રહેલ ગંગાને ઝીલનાર મહાદેવ પાસે નમસ્કાર મુદ્રામાં ઊભા રહ્યા હતા તેમ આપણે પણ જ્ઞાનરૂપી ગંગાનું અવતરણ ઝીલવા માટે શ્રી સૌભાગ્યભાઈને પણ નમસ્કાર કરીએ તેમ જ આ જ્ઞાનગંગાના પ્રવાહનાં દર્શન, જેમને સૌથી પહેલાં પ્રાપ્ત થયાં એવા પરમ ભાગ્યશાળી પૂ. શ્રી અંબાલાલભાઈને પણ આપણે નમસ્કાર કરીએ.
... દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org