Book Title: Hriday Sakha Shree Saubhagya
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 308
________________ અંબાલાલભાઈ સીધા શ્રી સૌભાગ્યભાઈ પાસે જઈ તેમનાં ચરણસ્પર્શ કરે છે એ વખતે શ્રી સૌભાગ્યભાઈ જરાક જ ઊભા થવા જાય છે.) અંબાલાલ :- કાં ? સોભાગભાઈ ! કેમ લાગે છે ? સૌભાગ્યભાઈ :- ઓ...હો... અંબાલાલ.... તમે આવી ગયા ! અંબાલાલ :- હા, સોભાગભાઈ, જો કે ચાર દિવસનો વિલંબ થયો છે. માટે ક્ષમા માગું છું. મણિલાલ :- બેન, પાર્વતી ! કાકા માટે પાણી લાવજે તો. પાર્વતી :- લાવી, ભાઈ (પાર્વતી અંબાલાલભાઈ માટે પાણી લાવે છે. અંબાલાલભાઈ પાણી પીવે છે.) ઉજમબા :- પાર્વતી બેટા ! આ થાળી લઈ જા તો ! પાર્વતી :- જી. ફૈબા, આપો. (પાર્વતી પાણીનો ગ્લાસ તથા થાળી લઈને રસોડામાં જાય છે.) ડુંગરભાઈ :- અંબાલાલ ! અમે તો તમારી આતુરતાપૂર્વક રાહ જોતા હતા, કેમ મોડા પડ્યા ? અંબાલાલ :- જાણે વાત એમ છે ડુંગરભાઈ કે, પરમકૃપાળુ શ્રી સદ્ગુરુ સાહેબજીની આજ્ઞા થતાં અહીં સાયલા ભગતના ગામે આવવા ઘણી જ ઇંતેજારી હતી, પરંતુ મારા અંતરાય કર્મના ઉદયે ચાર દિવસનો વિલંબ થયો. કારણ કે મારા પિતાજીને ત્યાં પાંચમ-છઠ્ઠના દિવસે જ્ઞાતિ જમાડવાનો પ્રસંગ હતો. તેથી કોઈને ખેદનું કારણ ન થાય, માટે થોડું વધુ રોકાઈ પ્રસંગને સાચવી ખંભાતથી નીકળ્યો. ડુંગરભાઈ :- ચાલો, જેવી પ્રભુ ઇચ્છા. અંબાલાલ :- કાં? ધારશીભાઈ ! કેમ છો ? આપને સુવાણ તો છે, ને ? ધારશીભાઈ :- સારું છે, અંબાલાલ. અંબાલાલ :- ડુંગરભાઈ, સોભાગભાઈને કેમ લાગે છે? ડુંગરભાઈ :- આજે કાંઈક ઠીક લાગે છે. છેલ્લા પાંચ મહિનાથી તાવ આવે છે. દવા કોઈ લાગુ પડતી નથી. શરીર ધીરે-ધીરે ક્ષીણ થતું જાય છે. આંખે દેખવું પણ ઓછું થઈ ગયું છે. રાત-દિવસ એક સાહેબજીનું જ રટણ રહ્યા કરે છે. મંગલમય મૃત્યુ ર૬૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314