Book Title: Hindusthanni Garibai
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 167
________________ ચલણ અને શિયામણ ૧૫૭હવે સરકાર ટંકશાળ બંધ કરીને રૂપિયાની અછત ઊભી કરે, એ કેવું અન્યાયી. અપ્રમાણિક અને જુલમી કૃત્ય છે તે સમજાશે. કારણ કે, જે રૂપિયો ચાલુ બજારભાવે ૧૮૪ ગ્રેઈન ચાંદીની કિંમતનો એટલે કે ૧૧ પિન્સની કિંમતના સોના જેટ હતો, તેને સરકારે ટંકશાળ બંધ કરીને તેની કૃત્રિમ અછત ઊભી કરી, ૧૬ પિન્સની કિંમતના સેના જેટલો એટલે કે ૨૬૯ ગ્રેઈન ચાંદીની કિંમત જેટલો મ કરી મૂ; જોકે તેમાં વાસ્તવિક રીતે તેટલી: કિંમતની ચાંદી હતી જ નહિ. દાખલા તરીકે, હું મારી ખેતીની પેદાશ લઈને ૧૮૪ ગ્રેઈન ચાંદી ખરીદવા બજારમાં જાઉં છું. તેને માટે મારે ૧ મણ ચેખા આપવા પડે છે. હવે તે ચાંદી લઈને હું સરકાર પાસે જાઉં છું અને કહું છું કે આ ચાંદી લઈને તમે મને રૂપિયે છીપી આપે, જેથી હું સરકારનું મહેસૂલ ભરી શકું. પરંતુ સરકાર અને હવે રૂપિયે છાપી આપવાની ના પાડે છે, પરંતુ મહેસૂલ માટે તો. છાપેલો રૂપિયે જ લાવવાનું કહે છે. એટલે મારે બજારમાં પાછું ફરીથી રૂપિયે લેવા જવું પડે છે. પરંતુ બજારમાં જેની પાસે રૂપિયા છે, તે તો રૂપિયાની અછત હોવાથી મારી પાસે ૧૮ ને બદલે ૨૬૯ ગ્રેઈન ચાંદી માગે છે. એટલે ભારે ૧ મણને બદલે ૧૫ મણ ચેખા આપીને તે રૂપિયો : ખરીદવો પડે છે, એટલે કે મારે હવે એ જ રૂપિયે મેળવવા મારા ૪૫ ટકા જેટલી કિંમતના વધારે ચેખા આપી દેવા, પડે છે. એટલે કે આડકતરી રીતે સરકારને ભારે ૪૫ ટકા મહેસૂલ વધારે ભરવું પડે છે. પરંતુ મોટા મોટા સરકારી અમલદારોના પગાર તો સરકાર પહેલાંની સંખ્યામાં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216