Book Title: Hindusthanni Garibai
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 182
________________ - ૨૭૨ હિંદુસ્તાનની ગરીબાઈ કરવાનું રહેવાનું. તેથી આપણે તે બને ત્યાં સુધી દેશી રાજતંત્રની વ્યવસ્થા જ વધારતા રહેવું જોઈએ, જેથી ત્યાંના વતનીઓની બુદ્ધિશક્તિ અને કાર્યશક્તિને વિકસવાનું ક્ષેત્ર મળી રહે; અને એ રીતે તેમાં જે કાંઈ મહાન અને ઉત્તમ તત્ત્વ હોય, તેને સરકારની સેવાના કામમાં લઈ શકાય. જ “હિંદુસ્તાનના આપણું સામ્રાજ્ય જેવી અદ્ભુત વસ્તુ બીજી કઈ હોઈ શકે નહિ; પરંતુ આપણે એ વિચારવું જ જોઈએ કે, અત્યારે આપણે તેનો કારભાર કેવી રીતે ચલાવીએ છીએ અને આપણા પૂર્વગામીએ કેવી રીતે ચલાવતા હતા. મેગલ સામ્રાજ્યની મહત્તા, મહાસમ્રાટ અકબર અને તેની પછી આવનારા બાદશાહો જેવાઓએ અખત્યાર કરેલી, હિંદુ લોકોની બુદ્ધિશક્તિ અને મદદને ઉપયોગમાં લેવાની, અને લોકો સાથે બને તેટલું તાદામ્ય સાધવાની ઉદાર રાજનીતિ ઉપર જ અવલંબેલી હતી. આપણે એ બાબતમાંથી પાઠ શીખવો જોઈએ. આપણે હિંદુસ્તાન પ્રત્યેની આપણી ફરજ બરાબર અદા કરવી હોય, તો તેનો એક જ રસ્તો છે અને તે એ કે, તે દેશમાં જે કોઈ મહાન તેમ જ ઉત્તમ તો છે, તેમની મદદ અને સલાહ હંમેશ આપણે મેળવવાં જોઈએ. તેને બદલે એમ કહેવું કે, હિંદીઓમાં રાજનીતિજ્ઞપણું કે કાર્યકુશળતાં જ મેટા પ્રમાણમાં નથી, એ અકકલ વગરની વાત છે. આપણે આપણી શક્તિથી બહુ ફુલાઈ જવું ન જોઈએ; તેમ જ દેશી રાજવ્યવસ્થા કરતાં અંગ્રેજી રાજતંત્ર દરેક બાબતમાં ચડિયાતું જ છે, એમ હંમેશાં બેલ બેલ ન કરવું જોઈએ. જે હિંદુસ્તાનના લોકો આપણી પેઠે ટીકા કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216