Book Title: Hindusthanni Garibai
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 204
________________ ૧૯૪ હિંદુસ્તાનની ગરીબાઈ આંકડાઓ આપી આપીને જવાબ વાળ્યા અને આખરે ઈ. સ. ૧૮૮રમ હિંદી સરકારે એ વસ્તુ સ્વીકારી પણ ખરી. તે વખતના નાણામંત્રી સર એવેલીન બેટિંગે (પાછળથી લોર્ડ કોમરે) સરકારી તપાસને અંતે જાહેર કર્યું હતું કે બ્રિટિશ હિંદની માથાદીઠ વાર્ષિક આવક રૂપિયો ૨૭ જ છે. આ ઉપરાંત દાદાભાઈ એ અમલદારના મોટા પગારે, હિંદમાંથી દર વરસે વિલાયત ઘસડાઈ જતી જંગી રકમ અને દેશીઓને રાજ્યમાં ઊંચા દરજજાની જગ્યાએ અપાતી નથી એ બાબતો તરફ એ સમિતિનું ધ્યાન ખેંચ્યું હતું. ઈ. સ. ૧૮૭૪માં એઓ વડેદરાને દીવાન નિમાઈને હિંદુસ્તાન પાછા આવ્યા અને પ્રવર્તતી અંધાધુંધીમાં વ્યવસ્થા આણવાને તેમણે ભગીરથ પ્રયત્ન કર્યો. પણ તે વખતના રેસિડન્ટની પ્રતિકૂળતા અને રાજ્યના કુટિલ કાવાદાવાને લીધે એ પિતાના કલ્પેલા બધા સુધારા પાર ન ઉતારી શક્યા અને દીવાનપદનું રાજીનામું આપી ઈ. સ. ૧૮૭૫માં પાછી મુંબઈ આવી રહ્યા અને ત્યાંની મ્યુનિસિપાલિટીના સભ્ય બની બે વર્ષ શહેરની સેવા કરી. . પણ ત્યાર પછી લૉર્ડ લીટનને જુલમી અમલ શરૂ થયો અને એથી દાદાભાઈનું મન ખૂબ ખિન્ન થઈ ગયું. એટલે એઓ જાહેર જીવનમાંથી ખસી ગયા, અને જ્યારે લેડ રીપન વાઈસરૉય થઈને આવ્યા ત્યારે ઈ. સ. ૧૮૮૧માં એમણે ફરી મુંબઈ કોર્પોરેશનમાં પ્રવેશ કર્યો. અને ઈ. સ. ૧૮૮૫ સુધી શહેરની કીમતી સેવા બજાવી. એ જ વર્ષમાં મુંબઈના ગવર્નર લોર્ડ રેએ એમને મુંબઈની ધારાસભામાં સભ્ય નીમ્યા. પણ ઈ. સ. ૧૮૮૬માં એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216