Book Title: Hindusthanni Garibai
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 192
________________ ૧૮૨ હિંદુસ્તાનની ગરીબાઈ સાથે મળીને કામ કરનાર એક અંગ્રેજ એડમિનિસ્ટ્રેટર જ રાખવામાં આવે. - સર ચાર્લ્સ ડાઈકે પિતાના એક પત્રમાં મને જણાવ્યું છે કે, “હું પોતે (બિનલશ્કરી એવા) તમામ યુરોપિયન ઘટાડી નાખવાની બાબતમાં એકમત છું; એ બાબતમાં તો હું જરા પણ મર્યાદા રાખવા માગતો નથી. મેં વારંવાર જણાવ્યું છે કે, અત્યારના અમારી સીધી હકુમતવાળા તંત્ર કરતાં અમારા લશ્કરી રક્ષણવાળાં દેશી રાજ્યોનું તંત્ર સ્થાપવામાં આવે તો સારું.” ત્યાર બાદ તેમણે ફરી લખેલા પત્રમાં તો તે મુદ્દાને તેમણે જરા વિગતથી ચર્ચો છે અને જણાવ્યું છે કે, મૈસુરની પેઠે જ આખા બ્રિટિશ હિંદુસ્તાનમાં સંખ્યાબંધ દેશી રાજ્ય ઊભાં કરવાં જોઈએ. તે પત્ર ઈ. સ. ૧૮૯૩ના “ઈડિયા’ના સપ્ટેમ્બર માસના. અંકમાં છપાયે છે. હિંદુસ્તાન ઉપર જે ન્યાયી રીતે રાજ્ય ચલાવવું હોય, હિંદુસ્તાનમાં બ્રિટિશ હકૂમતને નિઃસંદેહ રીતે દઢ કરવી હોય. તથા ૩૦ કરોડ સુધરેલા અને આબાદ લોકાની સાથેના વિપારથી બંને દેશને સમૃદ્ધ થવું હોય, તો અત્યારના રાજતંત્રથી, નાણાંકીય વહીવટથી, અને બંને દેશો વચ્ચેના અકુદરતી આર્થિક સંબંધોથી નીપજતું હિંદુસ્તાનનું આર્થિક અને નૈતિક શેષણ અટકાવવું જ જોઈએ. અને ઇંગ્લંડે પણ પોતે આપેલાં ગંભીર વચનના ભંગની બદનામીમાંથી નીકળી જવું જોઈએ.. લોર્ડ ડુલેએ નકકી કરેલા દ્વિમુખી ધ્યેયને સિદ્ધ કરવા માટે તેમણે પિતે વિચારી કાઢેલી અને અમલમાં મૂકેલી યોજના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216