Book Title: Hindusthanni Garibai
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 190
________________ હિંદુસ્તાનની ગરીબાઈ તેમ છે; એવી લોડ એલીસબરી અને લોર્ડ ઇટ્સની ભવિષ્યવાણી અક્ષરશ: સાચી પડી છે. એટલે હિંદુસ્તાનના કુટ પ્રશ્નનો ઉકેલ સાચેસાચ જ આણવો હોય, તો તેને માટે હવે અંધારામાં વલખાં મારવાં પડે તેમ નથી; કે અધ્રુવની આશાએ ધ્રુવને જોખમમાં નાખવા જવું પડે તેમ નથી. લોર્ડ સેલીબરી અને લૈર્ડ ઇસ્ટેએ કરી બતાવેલા પ્રયોગથી પુરવાર થઈ ચૂક્યું છે કે, તેમના કહ્યા પ્રમાણે દેશી રાજવહીવટવાળાં અનેક રાજે હિંદુસ્તાનમાં સાર્વત્રિક કરવામાં આવે, : ૧. બ્રિટિશ હકૂમત જરા પણ જોખમાયાને બદલે વધુ. દઢ બને છે; કારણકે તે હવે કોની આભાર અને વફાદારીની લાગણીઓ ઉપર સ્થિત થાય છે. લોકોને પણ પિતાનું રાજ્ય ચાલતું હોય તેમ લાગે છે અને તે ઉપરાંત જગતની એક મહાન સત્તાની દોરવણી અને રક્ષણ તેમને મળે છે. ૨. આ રીતે ઊભું કરેલું દરેક દેશી રાજ્ય. તેવા બીજા રાજ્યની ડખલગીરી કે આક્રમણમાંથી બચવા માટે સ્વાભાવિક રીતે જ વડી સત્તાને વળગેલું રહેવા ઈચ્છે છે. . આવાં જુદાં જુદાં અનેક રાજ્યો થઈ જવાથી બ્રિટિશ રાજ્યની હકુમત આપોઆપ દઢ બને છે; કારણ કે તેમાંના કોઈ પણ એક નાના રાજ્યને બ્રિટિશ હકૂમતમાંથી નીકળી જવાને પ્રયત્ન કરવાનું પ્રલોભન જ રહેતું નથી. ઉપરાંત. વડી સરકારનો તે બધાં રાજ્યના વહીવટ ઉપર સીધો કાબૂ હોય છે, એટલે એમ બનવાની સંભવિતતા, પણ રહેતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216