SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ચલણ અને શિયામણ ૧૫૭હવે સરકાર ટંકશાળ બંધ કરીને રૂપિયાની અછત ઊભી કરે, એ કેવું અન્યાયી. અપ્રમાણિક અને જુલમી કૃત્ય છે તે સમજાશે. કારણ કે, જે રૂપિયો ચાલુ બજારભાવે ૧૮૪ ગ્રેઈન ચાંદીની કિંમતનો એટલે કે ૧૧ પિન્સની કિંમતના સોના જેટ હતો, તેને સરકારે ટંકશાળ બંધ કરીને તેની કૃત્રિમ અછત ઊભી કરી, ૧૬ પિન્સની કિંમતના સેના જેટલો એટલે કે ૨૬૯ ગ્રેઈન ચાંદીની કિંમત જેટલો મ કરી મૂ; જોકે તેમાં વાસ્તવિક રીતે તેટલી: કિંમતની ચાંદી હતી જ નહિ. દાખલા તરીકે, હું મારી ખેતીની પેદાશ લઈને ૧૮૪ ગ્રેઈન ચાંદી ખરીદવા બજારમાં જાઉં છું. તેને માટે મારે ૧ મણ ચેખા આપવા પડે છે. હવે તે ચાંદી લઈને હું સરકાર પાસે જાઉં છું અને કહું છું કે આ ચાંદી લઈને તમે મને રૂપિયે છીપી આપે, જેથી હું સરકારનું મહેસૂલ ભરી શકું. પરંતુ સરકાર અને હવે રૂપિયે છાપી આપવાની ના પાડે છે, પરંતુ મહેસૂલ માટે તો. છાપેલો રૂપિયે જ લાવવાનું કહે છે. એટલે મારે બજારમાં પાછું ફરીથી રૂપિયે લેવા જવું પડે છે. પરંતુ બજારમાં જેની પાસે રૂપિયા છે, તે તો રૂપિયાની અછત હોવાથી મારી પાસે ૧૮ ને બદલે ૨૬૯ ગ્રેઈન ચાંદી માગે છે. એટલે ભારે ૧ મણને બદલે ૧૫ મણ ચેખા આપીને તે રૂપિયો : ખરીદવો પડે છે, એટલે કે મારે હવે એ જ રૂપિયે મેળવવા મારા ૪૫ ટકા જેટલી કિંમતના વધારે ચેખા આપી દેવા, પડે છે. એટલે કે આડકતરી રીતે સરકારને ભારે ૪૫ ટકા મહેસૂલ વધારે ભરવું પડે છે. પરંતુ મોટા મોટા સરકારી અમલદારોના પગાર તો સરકાર પહેલાંની સંખ્યામાં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy