SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ હિંદુસ્તાનની ગરીબાઈ આપવાની, એટલે તેમના પગારમાં પણ સાથે સાથે આપઆપ ૪૫ ટકા વધારે થઈ જાય છે; તેમ જ લેણદારે પણ દેવાદાર પાસેથી તે પહેલાં આપેલા રૂપિયાની જ સંખ્યા પાછા માગવાના; એટલે દેવાદારોનું દેવું પણ ૪૫ ટકા વધી જાય છે. હંમેશાં લેણદારે તો દેવાદાર કરતાં ઉપલા કે સારા વર્ગના હોવાના; એટલે પરિણામે સરકારે ગરીબ વર્ગને ભાગે સરકારી તિજોરી, સરકારી અમલદારે અને ઉપલા લેણદાર વર્ગોને ફાયદો કરી આપે એવો અર્થ થયો. ટંકશાળ બંધ કરીને સરકારનો ઈરાદો સેનાનું ચલણ દાખલ કરવાને અને રૂપિયા તથા સેના વચ્ચે હૂંડિયામણની દર પિતાની સત્તાથી નક્કી કરવાને હતો. પરંતુ ઈગ્લેંડના તિજોરીખાતામાં હજુ એટલો બધો કળિયુગ પેઠે ન હો; એટલે તેણે તો ચોખા શબ્દોમાં હિંદી સરકારને લખી જણાવ્યું કે, “બીજી સરકારે પિતાના ચલણને બેસાડી દે છે, પરંતુ તે તે તેમને લેણદારોને જે પૈસા ભરવાને હાય છે તેની રકમ ઓછી કરવા માટે; પરંતુ હિંદી સરકાર તો પોતાના કર ભરનારાઓ પાસેથી વધારે પૈસા પડાવવા માટે -આમ કરવા માગે છે. એ બંને દાખલાઓમાં સરકાર સામે જે અપ્રમાણિકતા અને કરારભંગને આરોપ મૂકી શકાય, તે સમાન જ છે. “હિંદી સરકાર એમ કહેવા માગે છે કે, ચલણી સિક્કાની કિંમત બને તેટલી સ્થિર કરવી જોઈએ. એ વાત સાચી છે, પરંતુ તેમ કરવાને એકમાત્ર રસ્તો તેના પ્રમાણમાં કશો ફેરફાર ન કર એ જ છે. જેમ કે, પાઉડ એટલે અમુક પ્રમાણનું સોનું, અને રૂપિયો એટલે અમુક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy