SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ચલણ અને હૂંડિયામણ ૧૫૯ પ્રમાણુની ચાંદી. એ સિવાય ચલણને સ્થિર કરવાની છ કાઈ રીત અત્યાર સુધી જાણવામાં આવી નથી. એ સાદી વ્યાખ્યાની ઉપરવટ જઈને કાંઈ પણ ડહાપણું ડહેાળવા જવું, અને અમે નિરક તેમ જ બદદાનતવાળુ માનીએ છીએ. હિંદી સરકાર ચલણને ભાવ જે રીતે સ્થિર કરવા માગે છે; તે રીતે તે! માત્ર હિંદી સરકારને કાયદા થશે. કારણકે તેને ઇંગ્લેંડ ભરવાની રકમમાં ચલણને કારણે થયેલા ફેરફારને માટે નવા કરવેરા નાખવાની ગૂંચવણ ટળી જશે; ઉપરાંત હિંદુસ્તાનમાં નોકરી કરતા અંગ્રેજ અમલદારે। કે બીજા અગ્રેજો એ પેાતાના પૈસા ઇંગ્લેડ મેાકલવા માગતા હશે તેમને ફાયદા થશે. પરંતુ એ ફાયદા હિંદી કરવેરા ભરનારાઓને ભાગે થશે. એટલું જ નહીં પણ હિંદુસ્તાનમાં લોકાની અંદર અંદર જે કાંઈ લેણાંદેણાં હશે કે ચેસ ભરણાં ભરવાનાં હશે, તેની કિંમતમાં પણ વધારા થઈ જશે. ખાસ કરીને તા, ખેડૂત પ્રજાને શાહુકારા પ્રત્યે જે લેણાં ભરવાનાં હશે, તેમાં વધારે થઈ જશે. "" એટલે અમારી માન્યતા પ્રમાણે, હિંદી સરકાર પાસે પોતાના ચલણના કાયદામાં સૂચવેલા ફેરફાર કરવા માટે પૂરતાં કારણે। નથી. તેમ જ તેની સામે જે શકાએ અને વિરાધ અમે ઉડાવ્યાં છે, તેમને પૂરતેા જવામ ન મળે, ત્યાં સુધી અમે તે સ્વીકારી શકીએ તેમ નથી. કારણું, અમે જે વાંધા ઉડ્ડાવ્યા છે, તેમની પાછળ લાં વખતથી સિદ્ધ થયેલા સિદ્ધાંતા છે, કે જેમને સ્વીકાર સામાન્ય રીતે બધા રાજનીતિને તેમ જ ચક્ષણવ્યવહારના સુપ્રસિદ્ધ નિષ્ણાતે પણ કરે છે. એટલે હિંદી સરકાર પ્રત્યે અને 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy