________________
૧૬૦
હિંદુસ્તાનની ગરીબાઈ તેટલી માનની લાગણી રાખીને પણ અમારે એવું સ્પષ્ટ જણાવી દેવું જોઈએ કે, હિંદી સરકારની સુચના શાહી સરકાર કે હિંદી વજીર ન સ્વીકારી શકે.”
સેનાનું ચલણ હિંદુસ્તાનમાં દાખલ કરવામાં હિંદી સરકારની દલીલ એ હતી, કે તેનાથી દૂડિયામણુના દરમાં થતી વધઘટને કારણે હિંદુસ્તાનના કાને થતું નુકસાન બંધ થશે. પરંતુ સોનાનું ચલણ દાખલ કરવાથી હિંદી કરવેરા ભરનારાને કેવી રીતે ફાયદો થાય, તે જ સમજી શકાતું નથી. ધારો કે દંડિયામણને દર ૩ શિલિંગે રૂપિયા હોય, ત્યારે ઈગ્લેંડ ભરવાની “હમ ચાર્જિસ” ની વાર્ષિક ૧૯,૦૦૦,૦૦૦ પાઉંડની રકમ પેટે હિંદી કર ભરનારાઓને ૧૦ લાખ ટન અનાજ મેકલવું પડે. પરંતુ દંડિયામણનો દર ૧ શિલિંગે ૧ રૂપિયો થાય, તો તેને ૨૦ લાખ ટન અનાજ મોકલવું પડે. ચલણ સેનાનું કે ચાંદીનું હોય તો પણ તે વસ્તુમાં કશો ફેરફાર ન થાય. કારણકે, હિંદી કર ભરનારાને તે ૧૯,૦૦૦,૦૦૦ પાઉંડ ખરીદી શકાય તેટલી પેદાશ લંડ મેકલવી જ રહી. માત્ર, સોનાના ભાવમાં જે વધઘટ થાય, તે અનુસાર તેને તે પેદાશ ઓછી કે વધારે મોકલવી પડે. એટલે સોનાનું ચલણ દાખલ કરવાથી તો હિંદી કર ભરનારાને ચલણને. ફેરવીને સોનાનું કરવામાં જે મેટું ખર્ચ થાય, તે જ વધારાનું ઉઠાવવાનું થાય એટલું જ. વળી, સેનાની માગ વધતાં તેના ભાવમાં જે વધારો થાય, તે ઉઠાવવો પડે તે જુદો જ.
આ ઉપરાંત, ધારે કે હિંદી ખેડૂતને ૧૦ રૂપિયા જમીન-- મહેસૂલ ભરવું પડે છે. હવે જ્યારે સોનાનું ચલણ દાખલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org