________________
ચલણ અને હુડિયાણ ૧૬ થાય, ત્યારે પણ સરકાર તેની પાસેથી ૧૦ રૂપિયાના બદલામાં શું લેશે? અત્યારે સરકાર કુલ ૮૫૦,૦૦૦,૦૦૦ રૂપિયા મહેસૂલ લોકો પાસેથી લે છે. સોનાનું ચલણ દાખલ કર્યા બાદ તે શું કરશે? તે અત્યારના ૧ શિલિંગે ૧ રૂપિયાને દરે ૪૨,૫૦૦,૦૦૦ પાઉંડ લેશે કે, મનસ્વી રીતે ઠરાવેલા ૨ શિલિંગે રૂપિયાને દર બમણી મહેસૂલ લેશે ? જે બમણી મહેસૂલ જ લે, તો તો સોનાના ચલણથી કર ભરનારાને બહુ ફાયદો થયો કહેવાય !
ઉપરાંત, સોનાનું ચલણ દાખલ કર્યા બાદ ગેારા અમલદારને કેટલો પગાર સરકાર આપશે? ધારો કે તેને મહિને ૧૦૦૦ રૂપિયા પગાર મળે છે. ટૂંડિયામણને જૂને દરે તેના તેને ૧૦૦ પાઉંડ મળતા હતા. પરંતુ હવે સરકાર તેને ૧ રૂપિયે ૧ શિલિંગના ન દરે પ૦ પાઉંડ પગાર આપશે અને પિલો તે કબૂલ રાખશે? કદી નહીં. તે તો પિતાના ૧૦૦ પાઉંડ જ માગશે.
અને “કેવિનન્ટેડ સર્વિસને ગોરાઓએ તો પોતાને માટે ૨૫ પેન્સનો દર કબૂલ કરાવી જ રાખે છે, પછી ભલે હૂંડિયામણને દર છ પેન્સને હા, કે ૧૨ પેન્સને હો. હવે તો બધા જ ગોરા અમલદારો ૨૫ પેન્સનો દર ભાગી રહ્યા છે, અને સરકાર તે તે કબૂલ રાખવાની જ. એટલે ખરી રીતે તેમનો પગાર કાયદેસર પ૦ પાઉંડને બદલે ૧૦ કે ૧૦૫ પાઉંડ થશે! તો આમાં હિંદી કર ભરનારાને શો ફાયદે થયો? એટલે જ કે ગોરાઓના પગાર ભરપાઈ કરવા તેને બમણુ પેદાશ હવે આપવી પડવાની ! ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org