________________
જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯
૨૮૫ મોહનીયના ઉદયથી થતા રાગ અને દ્વેષથી કરાતી ધર્મક્રિયા પુણ્યબંધ કરાવે પણ સંસારની રખડપટ્ટી ઘટાડનારી બનતી નથી. પરંતુ પરિભ્રમણ વધારનારી બને છે. માટે તે દ્રવ્યક્રિયા કહેવાય છે. ગાદી
પુનરેવ સર્જયતિ = ફરીથી તે જ વાત વધુ દેઢ કરે છે. गुणवृद्धयै ततः कुर्यात्, क्रियामस्खलनाय वा । एकं तु संयमस्थानं, जिनानामवतिष्ठते ॥७॥
ગાથાર્થ :- આ કારણથી પ્રાપ્ત થયેલા ગુણોની વૃદ્ધિ માટે તથા પ્રાપ્ત ગુણોથી અલિત ન થઈ જવાય તે માટે ક્ષાયોપથમિક ભાવની ધર્મક્રિયા કરવી જોઈએ, કારણ કે એક જ સંયમસ્થાન હોય એવું તો કેવલીભગવંતોને જ બને છે. IIછા
ટીકા - “TUMવૃદ્ધ તિ', તા-સ્વધર્મપ્રભાવહેતુત્વત્ સિપ્રવૃત્તિ
ત્ ! વિમર્થમ્ ? TUવૃદ્મ-TUT: જ્ઞાનોદય:, તેષાં વૃદ્ધિ, ત, गुणप्रोल्लासार्थमिति । न ह्याहारादिपञ्चदशसञ्जानिमित्तम् । पुनः अस्खलनायअप्रतिपाताय, क्रियारहितः साधकत्वेऽवस्थातुमशक्तः, यतो वीर्यस्य चापल्यं, तच्च क्रियावतः सत्क्रियानियक्तं प्रतिपाताय न भवति । अन्यथा चानादिप्रवत्तिप्रवत्तः स्खलनाय भवति । क्रिययोत्तरोत्तरस्थानारोहणञ्च श्रूयते आगमे । तथा च एकमप्रतिपातिसंयमस्थानं जिनानां क्षायिकज्ञानचारित्रवतामेकं पूर्णस्वरूपैकत्वरूपं स्थानमवतिष्ठते नान्यस्य ।
વિવેચન :- ક્રિયા એટલે સમ્પ્રવૃત્તિ, પંચાચારનું પાલન, અર્થાત્ રત્નત્રયીની સાધના, તે ધર્મક્રિયા આત્માના અનંતગુણાત્મક ધર્મનો આવિર્ભાવ (પ્રગટીકરણ) કરવાનો હેતુ હોવાથી અવશ્ય કરવી જોઈએ.
પ્રશ્ન :- આવી સત્યવૃત્તિ શા માટે કરવી જોઈએ ? કરવાનું પ્રયોજન શું?
ઉત્તર :- સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ષ્યારિત્ર સ્વરૂપ આત્માના જે શુદ્ધ ગુણો છે, તે ગુણોની વૃદ્ધિ માટે સત્યવૃત્તિ સ્વરૂપ ક્રિયા કરવી જોઈએ, આત્માના મોહનાશક એવા સમ્યગુણોના વિકાસ માટે સત્યવૃત્તિ રૂપ ક્રિયા કરવી જોઈએ. જે ધર્મક્રિયા આહારાદિ પંદર મોહની સંજ્ઞાનું નિમિત્ત નથી બનતી તે ધર્મક્રિયા અવશ્ય આચરવી જોઈએ. જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય માટે ધર્મક્રિયા કરવી જોઈએ. આ એક કારણ ધર્મક્રિયા કરવાનું સમજાવ્યું.