________________
જ્ઞાનમંજરી
ક્રિયાષ્ટક - ૯
૨૮૩
રૂપ જે કોઈ ધર્મક્રિયા કરાય છે. તે ધર્મક્રિયા વડે પતિત થયેલા જીવનો પણ એટલે કે ગુણોથી પરાક્રુખ થયેલા જીવનો પણ ફરીથી ઉદ્ધાર થાય છે.
આવા પ્રકારના મોહના ક્ષયોપશમ પૂર્વક કરાયેલી ધર્મક્રિયાથી ગુણરહિત થયેલા જીવમાં પણ ફરીથી તે તે ગુણોની પ્રકૃષ્ટ પ્રકારે વૃદ્ધિ થાય છે. ક્રિયાના અભ્યાસથી પરિણામની ધારા પલટાવાથી સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-સમ્યક્ચારિત્ર તથા ક્ષમા-માર્દવતા-આર્જવતા ઈત્યાદિ અનેક પ્રકારના ગુણોની વૃદ્ધિ થાય છે. પંચાશકપ્રકરણના ત્રીજા પંચાશકની ગાથા ૨૪માં કહ્યું છે કે -
“મોહના ક્ષયોપશમભાવપૂર્વક દૃઢ પ્રયત્ન વિશેષથી કરાયેલું શુભ અનુષ્ઠાન પડી ગયેલા જીવને પણ ફરીથી તે તે ગુણાત્મક ભાવની વૃદ્ધિ કરનારું બને છે. જીવને ઉર્દ્વારોહણ કરાવનારું બને છે.
औदयिकभावेऽपि क्रिया भवति, सा न तादृग्गुणवृद्धिकरी, औदयिकीक्रिया च उच्चैर्गोत्रसुभगादेययशोनामकर्मोदयेन, अन्तरायोदयेन उच्चैर्गोत्रोदयेन च તપ:શ્રુતાવિ-તામ: પ્રજ્ઞાપનાસૂત્રત: જ્ઞેય કૃતિ (પ્રજ્ઞાપનાસૂત્ર, પ૬-૨૩, સૂત્ર-૨૬) । ज्ञानावरण-दर्शनावरण-दर्शनमोह - चारित्रमोहान्तरायक्षयोपशमतः शुद्धधर्मप्राग्भावार्थं या क्रिया क्रियते, सा आत्मगुणप्रकाशकरी भवति ॥६॥
મોહનીયકર્મના ઉદયમાં પણ આ જીવ દ્વારા તેવા પ્રકારની ધર્મક્રિયા કરાય છે પરંતુ તે ધર્મક્રિયા તેવા પ્રકારના ગુણોની વૃદ્ધિ કરનારી બનતી નથી. જેમકે “વિનયરત્ને ઉદયન રાજાની હત્યા કરવાના આશયથી દ્વેષ મોહનીયના ઉદયથી સંયમ લીધો, એવી ઉંચા પ્રકારની ધર્મક્રિયા કરી કે જેથી ગુરુજી તેના વિશ્વાસમાં આવ્યા અને અવસર મળતાં જ હત્યાનું કાર્ય કર્યું, આ ઔદિયકભાવે કરાયેલી ધર્મક્રિયા ગુણ કરનારી તો ન થઈ પણ વધારે નુકશાન કરનારી થઈ. અગ્નિશર્માએ ગુણસેન ઉપરના દ્વેષથી આજીવન આહારત્યાગ કરીને ઉત્કટ તપઃક્રિયા કરી. અભવ્ય જીવો દેવનાં સુખોની ઈચ્છા આદિના કારણે સંયમ લે છે. ઉત્કટ ધર્મક્રિયા કરે છે તેનાથી પુણ્યબંધ કરીને નવ ત્રૈવેયક સુધી પણ જાય છે. આ સઘળી ઔયિકભાવની (મોહના ઉદયવાળી) ધર્મક્રિયા જાણવી. જે તારનારી નથી પણ ડુબાડનારી છે.
આવા પ્રકારની ઔદયિકભાવની (રાગથી કરાયેલી કે દ્વેષથી) કરાયેલી ધર્મક્રિયા ઉચ્ચગોત્ર, સૌભાગ્ય, આઠેય અને યશ નામકર્મના ઉદયકાલે થાય છે. ઉચ્ચગોત્રમાં ઉત્પન્ન થયા હોય તો તેવા પ્રકારના પુણ્યોદયથી ધર્મક્રિયાદિનો લાભ પણ થાય છે ધર્મક્રિયા કરવાની સાનુકૂળતા મળી જાય છે. તથા સૌભાગ્યાદિ પુણ્યકર્મનો ઉદય હોય તો તેવા પ્રકારનાં