Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 227
________________ ૪૨૬ વિદ્યાષ્ટક - ૧૪ જ્ઞાનસાર अविद्यातिमिरध्वंसे, दृशा विद्याञ्जनस्पृशा । पश्यन्ति परमात्मानमात्मन्येव हि योगिनः ॥८॥ ગાથાર્થ - યોગી પુરુષો વિદ્યા રૂપી અંજનથી સ્પર્શ કરાયેલી નિર્મળ દૃષ્ટિ વડે અવિદ્યા રૂપી અંધકારનો નાશ કરાયે છતે પોતાના આત્મામાં જ પરમાત્મપણું દેખે છે. Iટા, "अविद्या इति" एव हि निश्चये, योगिनः-समाधिदशावस्थाप्रवृत्तचक्रयोगिनः आत्मनि एव-स्वात्मनि एव, परमात्मानम-उत्कष्टनिष्पन्नसिद्धात्मानं पश्यन्ति-आत्मनि परमात्मत्वं निर्धारयन्ति । कया ? “विद्याञ्जनस्पृशा दृशा" विद्या-तत्त्वबुद्धिरूपा अञ्जनस्पृशा दृशा-चक्षुषा, क्व सति ? अविद्या-अज्ञानं अबोधः अयथार्थोपयोगो वा, तदेव तिमिरं, तस्य ध्वंसः, तस्मिन्, इत्यनेन मिथ्यात्वतिमिरध्वंसे जाते सम्यग्दृष्टयः आत्मानमात्मनि पश्यन्ति । अत एव अनेकोपयोगेन श्रुताभ्यासेन आत्मस्वरूपोपलम्भाय तत्त्वपरीक्षणाय यतितव्यम् । यथार्थमात्मस्वरूपपरिज्ञानं विद्या परमोपकारिणी इति ज्ञेयम् ॥८॥ શ્લોકના ચોથા ચરણમાં લખેલા પૂર્વ અને દિ શબ્દો નિશ્ચય અર્થમાં છે. સમાધિવાળી અવસ્થાને પામેલા એટલે કે સમતાભાવથી યુક્ત એવા પ્રવૃત્તચક્ર યોગીઓ પોતાના આત્મામાં જ પરમાત્માપણું એટલે કે ઉત્કૃષ્ટ અવસ્થાને પામેલી સિદ્ધ અવસ્થાવાળાપણું દેખે છે. આત્મામાં જ પરમાત્માપણું છે આવો પાકો નિર્ણય આ મુનિઓને થાય છે. માત્ર દૃષ્ટિ બદલાવાથી આ દેખાય છે. જે અવિદ્યાવાળી દૃષ્ટિ છે તેને બદલે વિદ્યાવાળી દૃષ્ટિ કરવાથી આત્મામાં જ પરમાત્માપણું છે આત્મા જ ભગવાન છે. તે દૃષ્ટિગોચર થાય છે. વિદ્યા એટલે તત્ત્વબુદ્ધિ સ્વરૂપ જે જ્ઞાન તે વિદ્યા, શરીર અને આત્મા આ બન્ને ભિન્ન ભિન્ન દ્રવ્યો છે. શરીરના નાશમાં આત્માનો નાશ થતો નથી. આવા પ્રકારના ભેદ જ્ઞાનવાળી જે તત્ત્વદૃષ્ટિ છે એ જ અંજનતુલ્ય છે. જેમ અંજન (કાજળ) આંજવાથી દૃષ્ટિ સ્પષ્ટ-નિર્મળ બને છે તેમ તત્ત્વદૃષ્ટિમય વિદ્યા રૂપ અંજન આંજવાથી નિર્મળ બનેલી દૃષ્ટિ વડે આ યોગીઓને પોતાના આત્મામાં જ પરમાત્માપણું છે. તે જ મેળવવાનું છે. આમ સ્પષ્ટ દેખાય છે. વિદ્યારૂપી અંજનથી સ્પર્શાવેલી તે દૃષ્ટિ કેવી છે ? તેનું એક વિશેષણ સમજાવે છે કે - અવિદ્યા એટલે કે અજ્ઞાનદશા અથવા વિપરીત બોધવાળી દશા, અજ્ઞાનતા (જડતા) અથવા વિપરીતબોધતા આ બન્ને આત્માને સાચો બોધ પ્રાપ્ત કરવામાં અંધકારતુલ્ય છે.

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262