Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 228
________________ જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક - ૧૪ ૪૨૭ માટે અવિદ્યા રૂપી જે અંધકાર છે તેનો ધ્વંસ થયે છતે એટલે કે મિથ્યાત્વરૂપી અંધકાર દૂર થયે છતે વિદ્યાર્દષ્ટિ વિકસે છે. તેથી અવિદ્યા રૂપી અંધકારનો નાશ થયે છતે વિદ્યારૂપી અંજનથી સ્પર્શાયેલી પવિત્ર અને નિર્મળ દૃષ્ટિ વડે સમ્યગ્દષ્ટિ આત્માઓ પોતાના આત્મામાં જ પરમાત્મતા દેખે છે. આ આત્મા જ કાલાન્તરે પરમાત્મા બને છે. પરમાત્મપણું પોતાનામાં જ છે અને તે પ્રગટ કરવાનું છે. બહારથી ક્યાંયથી પરમાત્મતા આવતી નથી. કોઈપણ એક દ્રવ્યના ગુણો બીજા દ્રવ્યમાં સંક્રમ પામતા નથી. પોતાના આત્માના જ ગુણો પોતે મેળવવાના હોય છે. અને તે ગુણો પોતાનામાં જ છે. બહારથી ક્યાંયથી આવતા નથી. આ કારણથી જ અનેક પ્રકારના ભિન્ન ભિન્ન ઉપયોગ વડે (અથવા સ્યાદ્વાદયુક્ત ઉપયોગ વડે) શાસ્ત્રોનો સુંદર અભ્યાસ કરવા દ્વારા આત્માનું શુદ્ધ પારમાર્થિક સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે અને સાચા તત્ત્વની પરીક્ષા માટે આ જીવે પ્રયત્નવિશેષ કરવો જોઈએ. કારણ કે યથાર્થ એવું આત્મતત્ત્વનું જે પરિજ્ઞાન છે તે પરિજ્ઞાનસ્વરૂપ વિદ્યા જ પરમ ઉપકાર કરનારી છે. માટે આ જીવે અવિઘા દૂર કરવા અને સદ્વિદ્યા મેળવવા વેળાસર ઉદ્યમશીલ થઈ જવું જોઈએ. ॥૮॥ ચૌદમું વિદ્યાષ્ટક સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262