Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 848
________________ ૮૧૨ તપોષ્ટક - ૩૧ જ્ઞાનસાર दुर्ध्यानं-पुद्गलाशंसारूपमनिष्टतारूपं नो भवेत् । येन तपसा योगा:-मनोवाक्कायरूपाः, न हीयन्ते-स्वरूपरमणं तत्त्वानुभवतः न हीयन्ते । यत्र इन्द्रियाणि न क्षीयन्ते धर्मसाधनस्वाध्यायाहिंसादितत्कार्यप्रवृत्तिर्न क्षीयते-क्षयं न लभते । इत्यनेन साधनीभूतचेतनावीर्याणां हानिः न स्यात्, तत्तपः शुद्धं कार्य-कर्त्तव्यमिति ॥७॥ વિવેચન :- વાસ્તવિકપણે જો વિચારીએ તો તે જ તપ કરવો જોઈએ કે જે તપ કરવાથી (૧) દુર્થાન ન થાય, (૨) મન-વચન અને કાયાના યોગો નાશ ન પામે અને (૩) ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ ન થાય. આ ત્રણ જાતની નુકશાની ન આવે તેવો તપ કર્તવ્ય છે. (૧) દુર્થાન બે પ્રકારનું છે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન. તે બન્નેના ચાર-ચાર ભેદ હોવાથી કુલ આઠ ભેદવાળું દુર્થાન છે. તેમાં પ્રથમના બે ભેદનો અહીં ઉલ્લેખ કરે છે બાકીના ભેદો સ્વયં ઉપલક્ષણથી સમજી લેવા. મનગમતા ઈષ્ટ પુલના સંયોગની આશંસા કરવી તે ઈષ્ટ સંયોગ આર્તધ્યાન અને અણગમતા પુદ્ગલોનો સંયોગ થયો હોય ત્યારે તે પુગલદ્રવ્યોનો વિયોગ કેમ થાય ? આમ પુદ્ગલદ્રવ્યો પ્રત્યે અનિષ્ટતાબુદ્ધિ રાખવી તે અનિષ્ટવિયોગ આર્તધ્યાન. ઈષ્ટનો સંયોગ ઈચ્છવો, ઈષ્ટનો વિયોગ હોય તો સંયોગ કેમ થાય? તેવી આશંસા કરવી. ઈષ્ટનો સંયોગ હોય તો તે સંયોગ દીર્ઘકાળ કેમ રહે? આવી ઈચ્છાઓ કરવી. તથા અનિષ્ટ વસ્તુનો સંયોગ થયો હોય તો તેનો વિયોગ કેમ થાય? અનિષ્ટનો સંયોગ હોય ત્યારે પણ તેના પ્રત્યે નાખુશીભાવ-અનિષ્ટતાબુદ્ધિ-અનાદરભાવ રાખવો આ સઘળુંય દુર્ગાન કહેવાય છે. તપ એવો કરવો અને એટલો કરવો કે જેનાથી આવું દુર્થાન ન થાય. કારણ કે તપ કરીને કર્મો ખપાવવાં છે. જ્યારે દુર્ગાનથી જુનાં કર્મો ખપતાં તો નથી પણ નવાં કર્મો ઘણાં બંધાય છે. માટે દુર્થાન ન થાય તેવો અને તેટલો તપ કરવો. (૨) મન વચન અને કાયાના યોગો ઢીલા ન પડે, સાધના કરવામાં-આરાધના કરવામાં મન વચન કાયાનો સાથ-સહકાર બરાબર મળતો જ રહે, જરા પણ ઢીલાશ ન આવે તેવો અને તેટલો તપ કરવો. કારણ કે તપ કરીને પણ આત્મ-સાધના ચાલુ જ રાખવાની છે. આત્મ-સ્વરૂપની રમણતા કરવામાં, શુદ્ધ તત્ત્વનો અનુભવ કરવામાં, મન-વચન-કાયાના યોગો હાનિ ન પામે તેવો તપ કરવો. (૩) આંખ-કાન-નાક-જીભ ઈત્યાદિ ઈન્દ્રિયો ક્ષય ન પામે, ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ ન થઈ જાય તેવો અને તેટલો તપ કરવો. ધર્મનાં કાર્યોની સાધના, સ્વાધ્યાય તથા અહિંસા આદિ જે જે ઉત્તમ-ધર્મ અનુષ્ઠાનો છે તે તે કાર્યો કરવાની પ્રવૃત્તિ ક્ષય ન પામે, કાનથી

Loading...

Page Navigation
1 ... 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929