Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 899
________________ જ્ઞાનમંજરી જ્ઞાનસારની ગરિમા ૮૬૩ સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો ભેદ બુદ્ધિમાં આવવો તે સાચું સમ્યજ્ઞાન કહેવાય છે. તે જ્ઞાનનો સાર ચારિત્ર છે. ચારિત્ર એટલે વૈરાગ્યદશા, તે વૈરાગ્યદશાની જે ગરિમા છે. અર્થાત્ ગુરુતા છે તે ગુરુતાનું સ્વરૂપ અચિજ્ય છે બુદ્ધિમાં ન ઉતરે તેવું છે. દુઃખે દુઃખે અર્થાતુ મહામુશ્કેલીએ સમજાય તેવું છે. કારણ કે જે જે પદાર્થો ગુરુતાવાળા હોય છે (જેમકે પત્થર-લોખંડ-રેતી. વગેરે પદાર્થો) તે તે પદાર્થો ગુરુતાના કારણે નીચે જાય છે એટલે અન્ય પદાર્થ સંબંધી ગુરુતા અધોગમનનું કારણ બને છે જ્યારે જ્ઞાનસાર દ્વારા આવેલી ગૌરવતા ઉર્ધ્વતાનું (ઊર્ધ્વગતિ કરાવવાનું) જ કારણ બને છે માટે અચિજ્ય છે. સંસારમાં કોઈપણ પુદ્ગલદ્રવ્ય ગુરુત્વધર્મવાળો હોય ત્યારે તે નીચે જાય છે અને જ્ઞાનસાર જેણે કંઠસ્થ કર્યું હોય છે એટલે તેનું જ્ઞાન પ્રાપ્ત કરીને જેણે ગુરુતા (ગૌરવતા) પ્રાપ્ત કરી હોય છે તે ગુરુતા ઊર્ધ્વગતિનું જ કારણ બને છે. ક્યારેય પણ અધઃપાત થતો નથી. માટે જ જ્ઞાનસાર દ્વારા મળેલી ગૌરવતા કોઈ અદ્ભુત છે, અચિન્હ છે, જગતને આશ્ચર્ય પમાડે તેવી છે. ઊર્ધ્વતા દ્રવ્યથી, ક્ષેત્રથી અને ભાવથી એમ ભિન્ન ભિન્ન જાતની હોય છે. ત્યાં દ્રવ્યથી ઊર્ધ્વતા એટલે ઉચ્ચગોત્રના ઉદય આદિ જન્ય ધનવંતપણું, ઉંચા કુલમાં ઉત્પન્ન થવાપણું, વિશિષ્ટ વિવેકીપણું, ઈત્યાદિ ઊર્ધ્વતા જાણવી, ક્ષેત્રથી ઊર્ધ્વતા એટલે ઊર્ધ્વલોક તરફ ગમન થવા રૂ૫ ઊર્ધ્વતા જાણવી અને ભાવથી ઊર્ધ્વતા એટલે સમ્યકત્વ-દેશવિરતિસર્વવિરતિ-ક્ષપકશ્રેણિ અને કેવલજ્ઞાનાદિ ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિ થવી, અધિક અધિક ગુણો ઉપર આરોહણ કરવું તે ભાવઊર્ધ્વતા જાણવી. જે જે મહાત્મા પુરુષો જ્ઞાનસારાષ્ટક ભણીને તેના જ્ઞાનની ગરિમાને પ્રાપ્ત કરે છે તે તે મહાત્માઓ સ્વર્ગ અને અપવર્ગ પામવા રૂપ ક્ષેત્ર સંબંધી ઊર્ધ્વતા પણ પામે છે અને સમ્યફચારિત્ર વગેરે ગુણો પામવા રૂપ ભાવઊર્ધ્વતાને પણ પામે છે (તથા જ્ઞાનસારના અભ્યાસથી દેદીપ્યમાન મહાત્માઓ યશ-કીર્તિ-પ્રશંસા-માનમોભો-પ્રતિષ્ઠા વગેરે રૂપ દ્રવ્ય-ઊર્ધ્વતા પણ પામે છે) આમ આ જ્ઞાનદશાની ગૌરવતા જીવને નિયમ ઊર્ધ્વતા જ આપનાર છે. માટે અચિત્ત્વ છે. આટલા पुनः ज्ञानक्रियाभ्यां मोक्षः, न ह्येकस्यापि विरोधकः साधको भवति, क्रिया हि वीर्यविशोधिरूपा, ज्ञानञ्च चेतनाविशोधिरूपम्, चेतनावीर्ययोः शोधिप्राप्तयोः सतोः एव सर्वसंवरः । तथापि क्रियातः ज्ञानस्याधिक्यं दर्शयति જો કે જ્ઞાન અને ક્રિયા આમ બન્નેના યોગે જ જીવને મોક્ષ થાય છે વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે “નાલિરિહિં મોલ્લો" માટે બન્ને સાથે મળે તો જ મોક્ષ થાય છે

Loading...

Page Navigation
1 ... 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929