Book Title: Dharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Author(s): Max Muller
Publisher: Baheramji Merwanji Malbari

View full book text
Previous | Next

Page 249
________________ (૨૧૧) નહિ. ડોક વખત માત્ર અનુષ્ઠાની (Ritualist) દાખલ રહેવાને અને ત્યાર પછી જ સત્યધર્મિ થવાને કોઈપણ કબુલ કરે નહિ. હિંદુસ્થાનમાં જેટલી એકસરખી કેળવણી હતી તેટલી આપણી નથી, અને અર્વાચીન મંડળીનું મોટામાં મોટું અભિમાન જે દરેક માનસનાં સ્વતંત્રપણાનો નિયમ છે, તે જે પ્રકારના ધર્મસંબંધી નિયમ હિંદુસ્થાને તેના પ્રાચીન નિયમશાસિયોના હાથથી કબુલ કર્યા હતા, તેવા નિયમ આપણે માટે કેવળ અસંભવિત છે. હિંદુસ્થાનમાં પણ આપણે તે નિયમવિષેજ જાયે છિયે, પણ એ નિયમોને અનુસરીને કેમ ચાલવામાં આવતું હતું તે વિશે આપણે જાણતા નથી; વળી ઈતિહાસ આપણને શિખવે છે કે હિંદુસ્થાનમાં પણ પ્રાચીન બ્રાહ્મણોના કાયદાની પીડાકારી બેડી છેલે સરવાલે તેડવામાં આવી હતી, કાંકે આમ કેહવામાં આપણને કશો શક નથી કે બુદ્ધ મત દરેક માનસની સ્વતંત્રતાનો હક જણાવનાર છે અને મુખ્ય કરીને મંડળીના બંધનથી નિકળી ચઢતી સ્થિતિએ પહોંચવાનો અધિકાર જણાવનાર, જાણેકે, વનવાસ કરવાનો અને જ્યારે પણ ધર્મ સંબંધી સ્વતંત્રતા મેળવવાની ઈચ્છા ઉત્પન્ન થાય ત્યારે એવી પૂર્ણ સ્વતંત્રતા ભરી જીંદગી ગુજારવાનો અધિકાર જણાવનાર છે એમ આપણને સમજવાનું છે. અસલ મતના (Orthodox) બ્રાહ્મણો બુદ્ધના શિષ્યો સામે જે એક મુખ્ય દોષ આણતા તે એ હતો કે તેઓ “બહાર જતા” (પ્રવ), કે નિમેલા વખત પહેલાં અને કથા વિદ્યા તથા સંસ્કાર કર્મમાં પુરતા વખત સુધી પ્રથમ કેળવણીના નિયમ જાળવ્યા વિના વિધિના બંધથી છુટા થતા. પણ હિંદુસ્થાનના પ્રાચીન આર્યોની સંકલ્પિક અંદગીની આપણને નકલ કરવાની જોકે ગરજ નથી, તથા જોકે અર્વાચીન કાળની અંદગીની હાલત જોતાં જ્યારે આપણે આ જીદગીની વેઠથી કંટાળી ગયા હોઈએ ત્યારે વનમાં એકાંતવાસ કરવાનું આપણાથી બને નહિ એવું છે, એટલું જ નહિ પણ વળી આપણા સંસાર મંડળની સ્થિતિમાં માનસનેમાટે, લોકના બોલવા પ્રમાણે, કેટલીક વખત ખાંધે જુસરી સાથે મરવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284