Book Title: Dharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Author(s): Max Muller
Publisher: Baheramji Merwanji Malbari

View full book text
Previous | Next

Page 259
________________ (૨૧) એ ગરજ જતા નથી, અને જે વળી કદી આપણે એમ કરવા ઈચ્છયું હોત, તેય આપણે સામેવાળિયા, જેઓ, જેમ બીજે ઠેકાણે તેમ હિંયાં પણ આપણા સર્વથી સરસ મિત્ર થઈ પડે છે, તેઓ તેમ કરવા દેતા નહિ. ધર્મ તે એક ધર્મવિષયક બુદ્ધિ અથવા બુદ્ધિ-શકિત (faculty) થી ઉભે થયે છે એવું સમજાવવું, તે એક સારી રીતે જાણેલી વસ્તુને માત્ર થોડી જાણેલી વસ્તુ મારફતે સમજાવ્યા જેવું થાય. ખરેખરી ધર્મવિષયક બુદ્ધિ અથવા ધર્મવેગ છે તે અનંતને સમજવાની શક્તિ છે. માટે આપણે પોતે જે માગૃછિયે, અને જે વિષે કોઈપણ વિરૂદ્ધ મતવાદિ વાંધો ઉઠાવી નહિ શકે તે–એટલે આ પણી ઈદ્રિ અને બુદ્ધિ અથવા બીજા શબ્દોમાં છેલ્લે તો એમ કે ઇંદ્રિયોમાં જણાતી ગ્રહણ કરવાની આપણી શકિત, અને શબ્દોમાં જણાતી આપણી સમજવાની શકિત, તેસિવાય કાંઇએ વધારે મુદાની વાત પ્રાચીન માટે આપણે માગી નથી. મનુષ્ય પાસે એ કરતાં વિશેષ કાંઈએ નથી, અને વિશેષ છે એમ વિચાર્યાથી તેને કશા લાભ થતા નથી. તે પણ આપણે ઈગયા કે આપણી ઇંદ્રિયો જે વેળા અંતવંત વસ્તુઓનું જ્ઞાન આપણને કરાવે છે, તે જ વેળા તેઓ જાશુક જે કાંઈ અંતવાનું નથી, અથવા કાંઇ નહિ જે હજી અંતવાનું થયું નથી, તેના સંબંધમાં આવ્યા કરે છે ; કે ખરું જોતાં એ ઈદ્રિયોને મુખ્ય હેતુ એ છે કે અનંતમાંથી અંતવાને અદ્રશ્યમાંથી દ્રશ્યને, લકિકમાંથી અલૈકિકને અને જે સૃષ્ટિ હજી રચનાદર્શક નથી તેમાંથી દર્શક દુનિયાને ઉપજાવી, લંબાવી, ઘડીકહાડવી. અનંતજોડેના ઈદ્રિયોના આ જાથકના સંબંધથી ધર્મવિષેની ક૯પનાને પ્રથમ વેગ મળે; પ્રથમ કાંઈ સંશય ઉભા કે જે કાંઇ ઈદ્રિય ગ્રહણ કરી શકે, તથા જે કાંઈ આપણી બુદ્ધિ અને વાચાશક્તિ પકડી શકે, તેની પિલીમેર કાંઇ હયાત છે. સઘળાધર્મનું ઉંડાંમાં ઉંડું મૂળ હિયાં હતું, અને સર્વની આગળ, પદાચં-પૂજા આગળ જે ખુલાસે કરવો ઘટે છે તે ખુલાસો પણ એજ હતા. અંતવંત ઈદ્રિયજ્ઞ પદાર્થોના જ્ઞાનથી માનસ કાં નહિ સતિશ પામ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284