Book Title: Dharmna Dash Lakshan
Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah
Publisher: Todarmal Smarak Trust

View full book text
Previous | Next

Page 183
________________ ૧૫૮ - ધર્મનાં દશ લક્ષણ) પ્રત્યે સતર્ક દેખાય છે. આ પ્રમાણે પાંચેય ઈન્દ્રિયો બહિર્મુખ વૃત્તિવાળી છે. બહિર્મુખ વૃત્તિવાળી અને રૂપ-રસાદિની ગ્રાહક ઈદ્રિયો અંતર્મુખવૃત્તિનો વિષય અને અરસ, અરૂપી આત્માને જાણવામાં સહાયક કેવી રીતે થઈ શકે? આ કારણે જ ઈન્દ્રિયભોગોની જેમ જ ઈન્દ્રિયજ્ઞાન પણ બ્રહ્મચર્યમાં સાધક નહીં, બાધક જ છે. લોકો કહે છે, – જૂઠો છે સંસાર, આંખ ખોલીને દેખો.” પરંતુ હું તો એ કહેવા માગું છું કે – “સાચો છે આત્મા, આંખ બંધ કરીને દેખો.' આત્મા આંખો ખોલીને દેખવાની વસ્તુ નથી, પરંતુ બંધ કરીને જોવાની ચીજ છે. માત્ર આંખોથી જ નહીં. પાંચેય ઈન્દ્રિયોથી ઉપયોગ.ખસેડીને પોતાનામાં લઈ જવાથી આત્મા જણાય છે. - હવે જયારે ઈદ્રિય-ભોગોના ત્યાગની વાત કરીએ છીએ તો જગત કહે છે – “ઠીક છે, ઈદ્રિય–ભોગ ત્યાગવા યોગ્ય જ છે, આપે ખૂબ સારી વાત કહી; પરંતુ જયારે એમ કહીએ કે ઈદ્રિય-જ્ઞાન પણ આત્માનુભૂતિરૂપ બ્રહ્મચર્યમાં સહાયક નથી; તો સામાન્ય જન એકદમ ભડકી ઊઠે છે; સમાજમાં ખળભળાટ મચી જાય છે. એમ કહેવામાં આવે છે - “તો શું અમે આંખોથી દેખીએ પણ નહીં, શાસ્ત્ર પણ ન વાંચીએ?” અને એવું બીજું ઘણું–ઘણું કહેવામાં આવે છે. વાતને ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન કરવાને બદલે આરોપ – પ્રત્યારોપ લગાવવામાં આવે છે. પરંતુ ભાઈ ! કામ તો વસ્તુની સાચી સ્થિતિ સમજવાથી બને, બૂમા–બૂમ કરવાથી નહીં. અલ્પજ્ઞ આત્મા એક સમયમાં એકને જ જાણી શકે છે, એકમાં જ લીન થઈ શકે છે. તેથી જયારે આ પરને જાણે, પરેમાં લીન થાય ત્યારે પોતાને જાણવું અને પોતામાં લીન થવું સંભવિત નથી. ઈદ્રિયોના માધ્યમ દ્વારા પરને જ જાણી શકાય છે, પરમાં જ લીન થઈ શકાય છે. એકના દ્વારા ન તો પોતાને જાણી શકાય છે અને ન પોતામાં લીન પણ થઈ શકાય છે; તેથી ઈન્દ્રિયો દ્વારા પર પદાર્થોને ભોગવવા એ તો બ્રહ્મચર્યનું ઘાતક છે જ, એમના માધ્યમ દ્વારા બહારનું જાણવું–દેખવું એ પણ બ્રહ્મચર્યમાં બાધક જ આ પ્રમાણે ઈદ્રિયોના વિષયો–ભલે એ ભોગ્યપદાર્થો હોય કે mયપદાર્થો, – બ્રહ્મચર્યના વિરોધી જ છે, કમેકે આખરે એ છે તો

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218