________________
૧૫૬
• ધર્મનાં દશ લક્ષણ) છે, બાકીની ચાર ઈન્દ્રિયો ન ક્ષેત્રથી અખંડ છે, ન કાળથી.
ચારેય ઈન્દ્રિયોના કાળસંબંધી ખંડપણાનું અને સ્પર્શનના અખંડપણાનું એક બીજા પણ કારણ છે. તે આ છે કે સ્પર્શન–ઈજિયનો સાથ તો અનાદિથી માંડી આજ પર્યત અખંડપણે છે, કોઈ વાર પણ એનો સાથ છૂટયાં નથી. કદી એવું નથી બન્યું કે આત્માની સાથે સંસારદશામાં સ્પર્શન-ઇન્દ્રિય ન રહે. પરંતુ બાકીની ચાર ઇન્દ્રિયો અનાદિથી તો છે જ નહીં, કેમકે નિગોદમાં હતી જ નહીં. જયારથી એમનો સુયોગ થયો છે તે પછી છૂટી પણ અનેકવાર ગઈ છે. એ આવે છે – જાય છે; આવે છે, જતી રહે છે, વળી આવે છે. એમનાથી છૂટવું કઠણ પણ નથી, અને લાભદાયક પણ નથી, પરંતુ સ્પર્શન-ઇન્દ્રિયનું છૂટવું જેટલું કઠણ છે એનાથી અધિક લાભદાયક પણ છે. કેમકે એ છૂટી જતાં જીવને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. તે એક વાર સંપૂર્ણ છૂટી જાય પછી ફરીથી એનો સંયોગ થતો નથી.
ચાર ઈદ્રિયોની ગુલામી તો કોઈ કોઈ વાર કરવી પડે છે, પરંતુ આ સ્પર્શનના ગુલામ તો આપણે બધા અનાદિથી છીએ. એની ગુલામી છૂટયા વિના ગુલામી છૂટતી જ નથી. *
જયાં લગી સ્પર્શન-ઇન્દ્રિયના વિષયોને જીતીશું નહીં ત્યાં લગી આપણે પૂર્ણ સુખી, પૂર્ણ સ્વતંત્ર થઈ શકીશું નહીં. આ સ્પર્શન-ઈન્દ્રિયના વિષયને પોતાનો મહાન શત્રુ, સૈકાલિક શત્રુ, સાર્વભૌમિક શત્રુ જાણીને જ આચાર્યોએ એના વિષય ત્યાગને બ્રહ્મચર્ય જાહેર કર્યું છે. પરંતુ એનો આશય એ કદી પણ નથી કે આપણે ચાઈજિયોના ભોગો ભોગવતા રહીએ અને સુખી બની જઈએ. કેમકે મર્મની વાત તો આ છે કે જયાં લગી આ આત્મા આત્મામાં લીન ન થાય ત્યાં સુધી કોઈ ને કોઈ ઈન્દ્રિયનો વિષય ચાલુ જ રહે, અને જયારે આ આત્મા આત્મામાં લીન થઈ જાય તો કોઈ પણ ઈન્દ્રિયનો વિષય રહેશે નહીં.
તેથી એ નિશ્ચિત થયું કે પંચેન્દ્રિયોના વિષયોના ત્યાગ-પૂર્વક થયેલી આત્મલીનતા જ બ્રહ્મચર્ય છે.
પંચેન્દ્રિયોના વિષયોના ભોગોના ત્યાગની વાત તો આ જગત સહેલાઈથી સ્વીકારી લે છે, પરંતુ જયારે એમ કહેવામાં આવે છે કે પંચેઈન્દ્રિયના માધ્યમ દ્વારા જાણવું–દેખવું એ પણ આત્મ-રમણતારૂપ બ્રહ્મચર્યમાં સાધક નથી, બાધક જ છે તો સહજ સ્વીકાર કરતું નથી. એને