Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 91
________________ ૮૪ / ધન્ય આ ધરતી તે યોગ્ય છે? બજેટ વખતે પ્રજાએ આ પ્રશ્નો ઉઠાવવાના છે. માત્ર નાણાપ્રધાને, ધારો કે ચા ઉપરનો કર ઘટાડ્યો એટલે ગૃહિણીઓ ખુશ થઈ ગઈ, કે સ્કૂટર ઉપરનો કર ઘટાડ્યો એટલે યુવાનો ખુશ થઈ ગયા કે આવક્વેરાની મર્યાદા પાંચપચીસ હજાર વધારી એટલે જનતા ખુશ થઈ ગઈ, કે કંપનીઓ માટે કોઈ વેરામાં ફેરફાર કર્યા એટલે ઉદ્યોગપતિઓ ખુશ થઈ ગયા એ પૂરતું નથી. એટલાથી ખુશ થઈ જઈને આ મૂળ પ્રશ્નો ઉઠાવવાના બાજુએ ન મૂકાય. એ તો ‘ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા' જેવું થયું. જ ઉપરાંત સરકાર કર તો ભાગ્યે જ ઘટાડે છે. મોટે ભાગે .તો જનતા પર કરવેરાનો બોજ વધારે જ છે અને મોંધવારી આસમાને ચડાવે છે અને એનું કારણ એમ આપે છે કે દેશના હિત માટે પ્રજાએ બલિદાન આપવું જોઈએ, પરંતુ તો પછી પ્રજાને પણ એ પૂછવાનો અધિકાર છે કે પોતે આપેલા બલિદાનથી દેશનું ક્યું હિત, કઈ રીતે, કેટલે અંશે સધાય છે? આ સવાલ થોડો પેચીદો છે, કારણ કે સરકારને જ્યારે લોક્મત વડે ચૂંટાવાનું હોય છે ત્યારે મત માગવા ગરીબ લોકો પાસે જવું પડે છે કારણ કે મોટા ભાગની પ્રજા ગરીબ છે. પણ સરકારને જ્યારે પોતાના ખર્ચા કરવા બજેટ દ્વારા પૈસા ભેગા કરવાના હોય છે ત્યારે પૈસાદારો પાસે અને નોકરિયાતો પાસે જવું પડે છે, છેવટે પરદેશથી પણ પૈસા લાવવા પડે છે કારણ કે પૈસા ત્યાં છે. આમ બે બાજુ જુદાજુદા લોકોને ખુશ રાખવા પડે છે. એટલે આખી સરકારમાં નાણાપ્રધાન જુદા પડી જતા હોય છે. ઘણુંખરું એ રાજકીય વ્યક્તિ પણ નથી હોતા અને જાહેર જનતા સમક્ષ પણ ભાગ્યે જ જાય છે. સરકારને નોકરી આપનાર એક વર્ગ ગરીબ વર્ગ છે અને પૈસા આપનાર બીજો વર્ગ પૈસાદાર વર્ગ છે. જો કે આનો અર્થ એ નથી કે ગરીબ લોકો સરકારને પૈસા નથી આપતા. સરકાર એમની ગરીબાઈ દૂર કરવાની તો બાજુએ, એમની પાસેથી પૈસા મેળવવામાં કશું બાકી નથી રાખતી. એમની જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે પણ એમણે કર ભરવા પડે છે. એટલે સુધી કે જે મીઠા પરનો કર નાબૂદ કરવા ગાંધીજીએ દાંડીકૂચ કરી હતી અને અંગ્રેજ સરકાર સામે સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ ર્યો હતો એ મીઠા પર ભારતીય સરકારે સત્તા પર આવતાંની સાથે કર નાખ્યો અને આજ સુધી કોઈ પણ પક્ષની સરકારે એ હટાવ્યો નથી! કારણ કે મીઠાનો વપરાશ દરેકે દરેક વ્યક્તિ માટે જરૂરી હોઈ એના ઉપરના કરમાંથી સરકારને આવક થાય છે. બીજું ઉદાહરણ છે શરાબનું. દારૂ ઉપરના કરવેરામાંથી સરકાર એટલી મોટી આવક કરે છે કે પ્રજામાં દારૂની લત ઓછી થાય એ સરકારી તિજોરીના હિતમાં નથી, તેથી આવી પ્રવૃત્તિઓ સમાજના હિતની વિરોધી હોવા છતાં સરકાર તે ચાલવા દે છે. સંરક્ષણ ઉપરનો સરકારી ખર્ચ ઘણો હોય છે. જો પાકિસ્તાન સાથે લડાઈનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162