Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 130
________________ ૧૨૩ ૪૫ સૌથી વધુ વળતર આપતું રોકાણ સુપ્રિયાએ દલીલ કરી : ગ્રામોદ્યોગોની વાત જ છોડી દો, કારણ કે માણસ સ્વાર્થી છે અને એટલે એ પૈસા પાછળ જ દોડશે. પણ સુપ્રિયા, સ્વાર્થને કારણે પણ આપણને સાદાં સાધનોથી જાતે વસ્તુઓ બનાવવાનું વધુ ગમશે, વધુ નફાકારક લાગશે. એક સાદો જ દાખલો લે. તું રોજ શેરના ભાવ તો જુએ છે ને? તો એક ઈન્વેસ્ટમેન્ટ એવી છે કે ૫૦ પૈસાના રોકાણ પર ત્રણ જ મહિના પછી દરરોજ રૂા.૨૫નું વળતર મળે, ચાર મહિના સુધી. કોઈ શેર આટલું વળતર આપે છે? પણ કુદરતે તો તે હંમેશા આપી શકે. આંગણાની આ નાનક્કી જગામાં પચાસ પૈસાનાં શાકનાં બી લાવીને રોપી દે. સો એક છોડ થશે. બે-ત્રણ મહિને છોડ મોટા થતાં રોજનું દોઢેક કિલો શાક મળશે. ચોમાસામાં તો પાણી પાવા જેટલીય મહેનત નથી. પેલા ખૂણામાં નાનો ખાડો કરી એમાં આ ઝાડનાં ખરેલાં પાન જે રોજ વાળીએ છીએ તે, થોડાં અળસિયાં અને રસોડાનો કચરો નાંખ્યા કર. એનું ખાતર માટીને જીવતી રાખશે. રોજ પચીસેક રૂપિયાનું શાક મળશે. તાજું અને રસાયણરહિત. ખરીદવા જવાની ઝંઝટ નહીં. ફ્રીજમાં ભરી રાખવાની જરૂર નહીં અને ખરેલાં પાંદડાં તથા રસોડાનો કચરાનો પણ સહેલો નિકાલ. મુંબઈના ફલેટ્સમાં આ ન ફાવે, છતાંય બાલ્કનીમાં દસ-બાર કૂંડાંનો પ્રયોગ કરવા જેવો છે. સુપ્રિયા, તને પીટર અને પેટ્રા યાદ છે ? જર્મની જેવા દેશમાં પણ તે અને ઘણાં બીજાં, એમના ફલેટના રસોડાની બારીમાં નાનાં નાનાં ખોખાંઓમાં કોથમીર, લસણ, પાલખ વગેરે ઉગાડે છે. જ્યારે જરૂર પડે ત્યારે ચૂંટી લેવાની અને હમેશાં તૈયોર. એનાથી બારી પણ સુશોભિત લાગે છે. ગાજર, સૂરણ, અળવીનાં પાન, મરચાં, ટામેટાં તો સજાવટમાં પણ મૂકી શકાય એટલા સુંદર છોડ હોય છે. તુલસીનો છોડ તો ગૃહલક્ષ્મી કહેવાય છે. એ જંતુનાશક દવાનું કામ કરે છે કારણ કે તુલસીને લીધે આસપાસના છોડમાં જંતુઓ નથી પડતાં. ઝૂંપડાવાસમાં જગા ન હોય પરંતુ ત્યાં પણ દૂધી, ગલકાં, કારેલાં, પાપડી વગેરેના વેલા તો ઝૂંપડાને છાપરે ચડાવી શકાય. ઘણી વાર ત્યાં ગંદા પાણીના નિકાલનો પ્રશ્ન હોય છે, તો ગંદું પાણી એક બાજુ વાળી તેમાં કેળ ઉગાડી શકાય. . સુપ્રિયા, તારો રેડિયો-ટેપરેકોર્ડર ટુ-ઈન-વેન છે ને? તો આ કેળનો છોડ તો ટેન-ઈન-વન છે: ૧. ગંદા પાણીનો નિકાલ અને કોરા રસ્તા, ૨. મચ્છર-માખીના ત્રાસમાંથી રાહત, ૩. ખાવા માટે કેળાં, ૪. જમવા માટે કેળનાં પાન, ૫. થાળીઓ માંજવાની ખટપટ નહીં, ૬. વાસણ સાફ કરવાના સાબુની જરૂર નહીં, ૭. વપરાયેલા પાન ખાડામાં નાખો તેનું ખાતર, ૮. ફુગાવાની ચિંતા નહીં, ૯. કેળના ઝાડમાંથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162