Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 153
________________ ૧૪૬ | ધન્ય આ ધરતી જો આપણને તંત્ર સામે એટલે કે સરકાર સામે, ભ્રષ્ટાચાર સામે, નાણાકીય સંસ્થાઓ સામે, કૌભાંડો સામે, યુદ્ધો સામે, મોટી કંપનીઓના અને એમના વહીવટ કરતી વિશ્વવ્યાપી ક્યનીઓના કરોડોના નફા સામે વિરોધ હોય, રોષ હોય તો આપણે શા માટે આ તંત્રને ટેકો આપીએ આ બધાને કારણે અનેકવિધ પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય, મોંધવારી, બેકારી, પ્રક્ષણ વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો આપણે શા માટે આ તંત્રને ટેકો આપીએ છતાં આપણે આપણાં કપડાંની સતત ખરીદી દ્વારા આ તંત્રોને મોટા પ્રમાણમાં ટેકો આપીએ છીએ, તેમને નભાવીએ છીએ. - અત્યારે તો આપણું કાપડ મિલોમાં જ બને છે એટલે આપણે નાછૂટક્ય આ તંત્રોને ટેકો આપ્યા વગર ચાલે એમ નથી. પરંતુ જો આપણે આ પ્રશ્નોમાંથી છૂટવું હોય, જો આ અત્યાચારોનો વિરોધ કરવો હોય તો આપણી પાસે જે ઉપાય છે તે એ છે કે અત્યારે આપણે એમને જે ટેકો આપી રહ્યા છીએ એ ટેકો આપવાનું આપણે બંધ કરીએ. આપણે એમને ટેકો આપવાનું કેવી રીતે બંધ કરી શકીએ ? આપણે એમની પાસેથી જે વસ્તુ ખરીદીએ છીએ એ ખરીદવાનું બંધ કરીને એ વસ્તુ જો જાતે બનાવીએ તો એ ટેલે બંધ થાય. એ રીતે આપણને બેકાર અને ગરીબ બનાવતા તંત્રમાં ભાગ લેવાનું બંધ કરી શકીએ. અત્યારે આપણે ત્રાણુંયે કરોડ ભારતીયો દરેક જણ સતત આપણા કાપડની ખરીદી દ્વારા આ તંત્રોને મોટો ટેકો આપી રહ્યા છીએ. એ કાપડ જો આપણે જાતે બનાવીએ તો આપણે એ ટેકો બંધ કરી શકીએ. આ માટે આપણે કાપડ મિલનું ખરીદવાને બદલે જાતે બનાવવું જરૂરી છે અને જાતે કાપડ બનાવવાનું ઘણું જ સહેલું છે અને ઘણું જ ફાયદાકારક પણ છે. નિવૃત્ત તેમ જ ઘરડા તથા અપંગ લોકો માટે તો તે ઘણું જ લાભદાયી છે. ગામની ખરાબાની જમીન ઉપર પણ ઉગાડી શકાતા રૂમાંથી ગામમાં જ તદ્દન સસ્તા બની શક્તા લાકડી રેંટિયાથી સૂતર બનાવી શકાય. ગામનો વણકર ખાડાસાળ પર તેનું કાપડ બનાવી શકે, ગામમાં જ બનાવી શકાતા કુદરતી રંગો વડે તેના પર સુંદર ભાત થઈ શકે અને ગામની ત્રણ-ચાર હજારની વસ્તીનું તેને માટે મોટું બજાર પણ મળી રહે. જેમ હોટેલમાં ખાવાને બદલે ઘેર બનાવેલ ભોજન ઘણું સતું અને પૌષ્ટિક બને તેમ આ કાપડ પણ ખૂબ સુંદર બને માત્ર ત્રણ રૂપિયે મીટર જેટલું સસ્તું અને આ રીતે સુંદર કાપડ મેળવવામાં ઉપર જોયા તે કોઈ તંત્રોના ખર્ચાઓ કે બોજાઓ ન નડે. આથી લાકડી રેંટિયો એ અત્યારના તંત્રોની ગુલામીમાંથી છૂટવાની ચાવી છે. તેને નિવૃત્ત તથા ઘરડાં લોકોમાં પ્રચલિત કરવો અને એ સૂતર વણવા માટે ગામમાં વણકરની સગવડ કરવી એ આપણા ધ્યેયને મેળવવા માટેનું પગલું છે. લાકડી રેંટિયાને જોતાંની સાથે જ પરદેશીઓના મનમાં આ વાત સ્પષ્ટ થાય છે. અત્યારના તંત્રોની પકડમાંથી છૂટવા માટે ઘણા પ્રયત્નો કરવા છતાં કોઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162