Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 140
________________ ૧૩૩ ૪૯ તંદુરસ્તીનો ઉપાચ આપણા હાથમાં થોડા વખત પહેલાં અમેરિકાના કેલિફોર્નિયા જેવા સમૃદ્ધ રાજ્યમાં ખેતરોમાં પાકને રોગ લાગુ પડ્યો હતો. ઘણી જંતુનાશક દવાઓ છટી, છેલ્લાં શોધાયેલાં રાસાયણિક જંતુનાશકો છાંટ્યાં પણ રોગ ગયો નહીં. પછી લીમડાનાં પાંદડાં પાણીમાં પલાળીને તે જોયું તો રોગ ગયો. અમેરિક્ત વૈજ્ઞાનિકો ભારતના લીમડાના પ્રેમમાં પડ્યા છે. જર્મનીમાં તો લીમડા વિશે ઘણું સંશોધન શરૂ થયું છે. આપણને નવલભાઈ શાહે વાત કરી કે વૃક્ષોનાં પાંદડાં છોડની આજુબાજુ પાથરવાથી અને તેમની સાથે થોડાં અળસિયાં ભેળવવાથી છોડ ખૂબ સરસ ખીલે છે. | નવલભાઈ ગયે વર્ષે અમેરિકા ગયા ત્યારે દીકરીના ઘરના આંગણામાં આ પદ્ધતિથી ત્રણ મહિનામાં એટલાં બધાં શાકભાજી અને ફળ ઉગાડ્યાં કે આ વગર રસાયણે ઉગાડેલાં પાળી અમેરિકનો દંગ રહી ગયેલા. એમને મેં પૂછ્યું કે આ રીતે શાક-ફળ ઉગાડવાની વાત તો સરસ છે પણ આટલાં બધાં પાન લાવવાં ક્યાંથી બે રીતે, એક તો આંગણામાં બે-ત્રણ વૃક્ષો પણ વાવવાં. લીમડો, સરગવો, લીંબુ વગેરે તો જલદી મોટાં થાય છે. જગા ઓછી હોય તો લીમડાને કાપતાં રહીને નાનકડો રાખવો. આ ઝાડનાં પાન ખરે તેમને છોડની આજુબાજુ પાથરો. એ જ પાન રસ્તા ઉપર ચરો બને, ગંદડી ઉત્પન્ન કરે, સજીવે સડેલી વસ્તુ માખીનો, જીવાતનો ખોરાક છે. એટલે આ પાનને ભેગાં કરીને છોડની આસપાસ પાથરવાથી ગંદકીને ફળમાં અને શાકભાજીમાં ફેરવવાનું કામ થાય છે. ઘરનો બધો કચરો પણ આ રીતે ખાતરમાં ફેરવી શકાય. પાન મેળવવાની બીજી રીત એ છે કે નવલભાઈએ એમના આંગણામાં શાકના છોડની વચ્ચેવચ્ચે સુબાવલના છોડ ઉગાડ્યા છે. સુબાવલ જમીનમાં નાઈટ્રોજન ઉમેરે છે અને તેમની કૂણી ડાળી પરનાં પાન નાઈટ્રોજનથી ભરપૂર છે. તેના ' છોડને વધવા દઈએ તો એ ઘણો મોટો થઈ જાય પરંતુ એ એકાદ ફૂટ ઊંચો થાય પછી એને વધાવા નહીં દેવાનો અને કાપ્યા કરવાનો અને એનાં પાન શાક-ફળના છોડની આજુબાજુ પાથર્યા કરવાનાં. જમીનને નાઈટ્રોજન પૂરું પાડતો એવો જ બીજો છોડ છે ગ્લીરીસીડીઆનો. એનાં પાનમાં પૂરતા પ્રમાણમાં નાઈટ્રોજન છે. એની ડાળી અને પાંદડાં પણ ઝડપથી જમીનમાં ભળી જઈ જમીનનું પોતે સુધારે છે. ઈન્ડોનેશિયાની ડાંગરની ખેતીમાં ક્યારાના શેટે ઉગાડેલા લીરીસીડીઆથી જ ડાંગરનો પાક લેવાના અખતરા થયા છે અને સાબિત થયું છે કે આવા છોડના ખાતરથી રાસાયણિક ખાતર જેટલી જ ડાંગર પણ પકવી શકાય છે. તે ઉપરાંત છોડને પાંદડાંનો ખોરાક આપવાથી એને રોગ પણ લાગુ પડતા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162