Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 129
________________ ૧૨૨ / ધન્ય આ ધરતી પ્રયત્નો થઈ રહ્યા છે. વેનેઝુએલામાં બ્રાચોએ નેચરલ હેલ્થ રી-એજ્યુકેશન મુવમેન્ટ (કુદરતી સ્વાથ્યના પુનર્શિક્ષણની ચળવળ)' શરૂ કરી છે. એમાં પુનર્શિક્ષણ શબ્દ ઘણો ચોટદાર છે. એ આપણને ભાન કરાવે છે કે આપણે કશું નવું શીખવા જેવું નથી, પણ જે ભૂલી ગયા છીએ એને પાછું મેળવવાનું છે. આ ચળવળનો હેતુ લોકોને એ રીતે તૈયાર કરવાનો છે કે તેઓ જાતે જ પોતાની તંદુરસ્તી સાચવી અને વધારી શકે. અત્યારની કૃત્રિમ અને ભૌતિક સંસ્કૃતિએ કુદરતી સ્વાથ્ય અંગેના પાયાના સિદ્ધાંતોને કચડી નાખ્યા છે. એણે કુદરત અને માનવશરીર વચ્ચેની સમતુલાઓથી માણસોને વિખૂટા પાડી દીધા છે. આ સિદ્ધાંતો હજુ પણ દુનિયાના પરંપરાગત સમાજોમાં સચવાયા છે અને સ્થાનિક રીતરિવાજોમાં મળી આવે છે. ચળવળનો ઉદ્દેશ આ પરંપરાઓને પુનઃજીવિત કરવાનો છે અને એ માટે એનો ભાર એના ઉપર છે કે આપણી ઉત્પાદન અને ઉપભોગની રીતો દરેક સ્થળે સ્થાનિક મળતાં કુદરતી દ્રવ્યો પર આધારિત હોવી જોઈએ. એટલે આ ચળવળ પર્યાવરણલક્ષી છે અને વ્યક્તિગત તેમ જ સ્થાનિક ધોરણે સ્વાવલંબન લાવવા માગે છે. ચળવળની કેન્દ્રીય પ્રવૃત્તિ કુદરતી અને તાજા ખોરાક દ્વારા તંદુરસ્તી અને પોષણ મેળવવાની છે. કુદરત આપણા શરીરને જરૂરી બધો પોષક ખોરાક આપે છે એટલું જ નહીં પણ માંદગી આવે તો પણ એને દૂર કરવાની જડીબુટ્ટીઓ આપે છે. બ્રાચો કહે છે કે પહેલાના જમાનામાં ખોરાક પોતે જ દવા હતો. એટલે કે ખોરાક તરીકે એવી જ વસ્તુઓ લેવાતી કે માંદા ન પડાય. એટલે આજની જેમ દવા તો લેવી જ નહોતી પડતી પણ માંદા પડવાનો પણ સવાલ ઊભો જ નહોતો થતો. આપણને તંદુરસ્ત રાખતાં આવાં કુદરતી પોષક દ્રવ્યો વિષુવવૃત્તની આજુબાજુ ઉષ્ણકટિબંધમાં પુષ્કળ પ્રમાણમાં છે. દુનિયામાં જે જુદીજુદી જાતની વનસ્પતિઓ છે, એમાંથી ૨/૩ ભાગની આ પ્રદેશોમાં ઊગે છે અને આજે એમાંની મોટા ભાગની વનસ્પતિઓ ઉપયોગમાં નથી લેવાતી. વેનેઝુએલામાં વનસ્પતિશાસ્ત્રના અંદાજ પ્રમાણે એ દેશમાં ગતી ૭૦,૦૦૦ ઔષધીય વનસ્પતિઓમાંથી માત્ર આઠસો જેટલી જ અત્યારે ઉપયોગમાં લેવાય છે. આ ચળવળ એ મુદ્દો ધ્યાને પર લાવે છે કે ખરેખર તો ઉષ્ણકટિબંધમાં વનસ્પતિઓની વિપુલતા, અનુકૂળ પ્રકાશ અને હવામાન, ફળદ્રુપ ધરતી અને જમાનાઓથી સંચિત થયેલા લોકોના પરંપરાગત જ્ઞાનનો ભંડાર છે. અને એટલે જ આ કટિબંધના દેશો જેમને ક્યારેક ત્રીજી કે છેલ્લી દુનિયા કહેવામાં આવે છે એમને પહેલી દુનિયા તરીકે ઓળખવા જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162